Site icon

‘લગાન’ અભિનેતા જાવેદ ખાન અમરોહીનું નિધન, માત્ર 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડ એક્ટર જાવેદ ખાન અમરોહીનું નિધન થયું છે. તે માત્ર 70 વર્ષનો હતો. તેણે લગભગ 150 ફિલ્મોમાં કામ કર્યું

lagaan actor javed khan amrohi died at age of 70

'લગાન' અભિનેતા જાવેદ ખાન અમરોહીનું નિધન, માત્ર 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર જાવેદ ખાન અમરોહીનું નિધન થયું છે. તે માત્ર 70 વર્ષનો હતો. તેણે લગભગ 150 ફિલ્મોમાં કામ કર્યું. આ ઉપરાંત તેણે ટીવીની દુનિયામાં પણ અલગ-અલગ પાત્રો ભજવીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. તેઓ લાંબા સમયથી શ્વાસની બિમારીથી પીડાતા હતા અને છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા. તેમને સારવાર માટે સાંતાક્રુઝના સૂર્યા નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે તેના બંને ફેફસા ફેલ થઈ ગયા હતા.

Join Our WhatsApp Community

 

ટીવી સિરિયલોમાં જોવા મળયો હતો જાવેદ ખાન અમરોહી 

જાવેદ ખાન અમરોહી એક પ્રખ્યાત ફિલ્મ અને ટીવી અભિનેતા હતા. તે ‘નુક્કડ’ જેવી સિરિયલ માટે પણ જાણીતો છે. ‘નુક્કડ’ ની સફળતા બાદ તેને ગુલઝારની મિર્ઝા ગાલિબમાં ફકીરની ભૂમિકા ભજવવાની તક મળી. દૂરદર્શનની આ બંને ટીવી શ્રેણી ઓએ તેમની કારકિર્દીમાં ઘણી મદદ કરી. ટીવી ડેબ્યુ કરતા પહેલા તેણે બોલિવૂડ ફિલ્મોમાં નાની ભૂમિકાઓ પણ ભજવી છે. તે રાજ કપૂરની ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘વો સાત દિન’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘નખુદા’, ‘પ્રેમરોગ’ વગેરેમાં નાની ભૂમિકાઓમાં પણ જોવા મળ્યો હતો.

 

ફિલ્મોમાં અનેક ભૂમિકાઓ માં જોવા મળ્યો હતો જાવેદ ખાન અમરોહી 

જાવેદ ખાન અમરોહીને 2001ની ફિલ્મ ‘લગાન’માં શ્રેષ્ઠ સહાયક ભૂમિકા માટે એકેડેમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યો હતો. આ સિવાય ‘અંદાઝ અપના અપના’ અને ‘ચક દે ઈન્ડિયા’ માં પણ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જાવેદ ખાને એક સંસ્થામાં એક્ટિંગ ફેકલ્ટી તરીકે પણ કામ કર્યું છે. અભિનેતાના નિધનથી આજે ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેણે અનિલ કપૂર, રાજેશ ખન્ના, ઋષિ કપૂર, આમિર ખાન, ગોવિંદા, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન વગેરે સાથે કામ કર્યું છે અને ઘણી સફળ ફિલ્મો આપી છે.

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version