Site icon

લતા મંગેશકરે રક્ષાબંધન પર PM મોદી પાસે માંગ્યું હતું આ વચન, બહેન ને આપેલું વચન કર્યું પૂરું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022    

Join Our WhatsApp Community

સોમવાર 

લતા મંગેશકર ના નિધન સાથે દેશમાં અને બોલિવૂડમાં સંગીતના યુગનો અંત આવ્યો. પોતાના સુરીલા અવાજથી તેણે પોતાના ચાહકોને એવી ભેટ આપી છે જે દુનિયામાંથી ક્યારેય ભૂંસી શકાશે નહીં. પીએમ મોદી સાથે તેમના ખૂબ જ મૈત્રીપૂર્ણ સંબંધો હતા. તેમના પ્રશંસક હોવા ઉપરાંત, પીએમ મોદી તેમની સાથે એટલા ગાઢ સંબંધમાં હતા કે તેમને દીદી કહી ને બોલાવતા હતા અને લતા દીદી પોતે પણ તેમનું ખૂબ સન્માન કરતા હતા.પીએમ મોદી ભલે ગમે તેટલા વ્યસ્ત હોય, પરંતુ 28 સપ્ટેમ્બરે લતા મંગેશકરનો જન્મદિવસ તેઓ ક્યારેય ભૂલ્યા નથી. ભલે તે મીટીંગમાં વ્યસ્ત હોય, રેલીમાં હોય કે આકાશમાં મુસાફરી કરતા હોય, તે આ ખાસ દિવસે લતા દીને તેમના જન્મદિવસની શુભેચ્છા આપવાનું ક્યારેય ભૂલતા નથી.

2019માં પણ કંઈક આવું જ બન્યું હતું, જ્યારે PM મોદી પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેમણે પ્લેનમાંથી ફોન કરીને લતા દીને કહ્યું કે હું કદાચ તમારા જન્મદિવસ પછી જ પાછા આવી શકીશ, તેથી પ્લેન દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ મોકલી રહ્યો છું . પાછળથી AIR એટલે કે ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા બહાર પાડવામાં આવેલ એક ઓડિયો-વિડિયોમાં PM મોદીએ લતા મંગેશકરને પ્લેનમાંથી ફોન કરીને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા.કહેવાય છે કે બંને વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ મધુર હતો.

શનાયા કપૂરે તેની ગ્લેમરસ તસવીરો શેર કરી વધાર્યો ઈન્ટરનેટ નો પારો , ફોટો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ 

2013ની વાત છે, તે સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે લતા મંગેશકરે પોતે પુણેમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે મોદીજી દેશના વડાપ્રધાન બને. લતા દી મોદીજીથી એટલા પ્રભાવિત થયા કે એકવાર રક્ષાબંધન પર તેમણે મોદીજી પાસેથી વચન લીધું કે તેઓ વડાપ્રધાન બનશે અને દેશને ઉંચાઈ પર લઈ જશે.PM મોદીએ લતા દીદીને આપેલું વચન પૂરું કર્યું અને તેઓ PM બન્યા કારણ કે લતા દીદી પણ એવું જ ઈચ્છતા હતા.PM મોદીએ લતા દીદીને આપેલું વચન પૂરું કર્યું અને તેઓ PM બન્યા કારણ કે લતા દીદી પણ એવું જ ઈચ્છતા હતા.

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version