છેલ્લા 8 દિવસથી ICU માં છે સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર, ડોકટરોએ જાહેર કરી હેલ્થ અપડેટ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

શનિવાર

કોરોનાથી સંક્રમિત થયા બાદ છેલ્લા આઠ દિવસથી સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે.

આજે ફરી એક વખત ડોકટરોએ તેમની હેલ્થનુ અપડેટ આપતા કહ્યુ છે કે, લતાજીની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેઓ સતત ઓબ્ઝર્વેશનમાં છે.

ડોકટરોનુ કહેવું છે કે, એક આખી ટીમ હજુ દસેક દિવસ માટે તેમના પર નજર રાખશે.

લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને કોરોના અને ન્યૂમોનિયા હોવાનું નિદાન થયું છે.

અગાઉ 2019માં તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તે વખતે 28 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 

કોરોના મહામારી સામે રસીકરણ ઝુંબેશ તેજ, મહારાષ્ટ્રના આટલા ટકા 15થી 18 એજ્ગ્રુપના કિશોરોને રસી આપવામાં આવી; જાણો અત્યાર સુધીમાં કેટલા બાળકોએ લીધી રસી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More