Site icon

લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈ મોટા સમાચાર, ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયાં; 28 દિવસથી આ  હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

શનિવાર.

ભારતરત્ન ગાયિકા લતા મંગેશકર છેલ્લા 28 દિવસથી દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી છે. ચાહકો તેનના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા કહેવામાં આવ્યું હતું કે લતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ ફરી એકવાર તેમની તબિયત બગડી છે.

કેન્ડી બ્રીચ હોસ્પિટલના ડૉ. પ્રતુત સમદાનીએ લતા દીદીના સ્વાસ્થ્યને લઈને એક નવું અપડેટ આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે લતાજીની તબિયત ફરી બગડી છે અને તેઓને ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા છે. ડૉક્ટરની એક ટીમ 24×7 તેમનું ધ્યાન રાખી રહી છે. આવી સ્થિતિમાં લતા દીદીની તબિયતને લઈને ચાહકોની ચિંતા વધી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં લતા મંગેશકરના મૃત્યુની અફવા ફેલાઈ હતી. એ પછી તેમના અકાઉન્ટ પરથી પરિવારે કહ્યું હતું, ‘મહેરબાની કરીને અફવા પર ધ્યાન ના આપો. તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે અને સારવાર ICUમાં ચાલુ છે.  

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version