News Continuous Bureau | Mumbai
Malaika arora father death: મલાઈકા ના પિતાનું નિધન બુધવારે સવારે થયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ તેના પિતા એ તેના ઘર ની બાલ્કની માંથી કુદીને આત્મહત્યા કરી હતી.આ વાત ની જાણ થતા મુંબઈ પોલીસ બાંદ્રા પહોંચી હતી. મુંબઈ પોલીસ ની સાથે ફોરેન્સિક ટીમ પણ ત્યાં પહોંચી હતી. ત્યારબાદ મલાઈકા ના પિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હવે પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલી વિગતો સામે આવી છે. જેમાં તેમના મૃત્યુનું મુખ્ય કારણ બહાર આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Malaika arora father death: મલાઈકા અરોરા ના પિતા એ આત્મહત્યા પહેલા આ બે વ્યક્તિઓ સાથે ફોન પર કરી હતી આવી વાત
મલાઈકા ના પિતા નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે
મીડિયા રિપોર્ટ મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે મલાઈકા ના પિતા અનિલ મહેતાનું મૃત્યુ શરીર પર અનેક ઈજાના કારણે થયું છે. અહેવાલો અનુસાર, અનિલ મહેતાના શરીરમાંથી વિસેરા સાચવવામાં આવ્યા છે જેથી તે આ કેસમાં વધુ તપાસમાં મદદ કરી શકે. પોસ્ટમોર્ટમ બાદ અનિલ મહેતાનો મૃતદેહ મલાઈકા અરોરાના પરિવારને સોંપવામાં આવ્યો હતો. ગઈકાલે મલાઈકા ના પિતાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.
Malaika Arora’s father, Anil Mehta, tragically passed away from multiple injuries after falling from his Bandra home’s balcony. An autopsy confirmed the cause of death. Malaika shared an emotional message, requesting privacy for her family during this difficult time. His last… pic.twitter.com/5qSOR1VX0j
— Jagran English (@JagranEnglish) September 12, 2024
મીડિયા રિપોર્ટ મુજબ મલાઈકા ના પિતા એ મૃત્યુ પહેલા તેમની બંને દીકરીઓ મલાઈકા અને અમૃતા સાથે ફોન પર વાત કરી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)