News Continuous Bureau | Mumbai
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની(Raju Shrivastav health) હાલત દિવસેને દિવસે સુધરી રહી છે. રાજુના પરિવારથી લઈને તેના ચાહકો સુધી, દરેક તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક અજાણ્યો વ્યક્તિ (unknown man)રાજુ શ્રીવાસ્તવના રૂમમાં પહોંચ્યો હતો. અને આઈસીયુની (ICU)અંદર કોમેડિયન સાથે સેલ્ફી લેવાનું શરૂ કર્યું. માણસને જોઈને બધા ગભરાઈ ગયા અને કોમેડિયનની સલામતી માટે ચિંતિત બન્યા. હોસ્પિટલના સ્ટાફે(Hospital staff)આ માણસની પૂછપરછ કરી અને રાજુની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આઈસીયુની બહાર રક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે. હવે પરવાનગી વિના કોઈને અંદર પ્રવેશ(entry) આપવામાં આવશે નહીં.
રાજુ શ્રીવાસ્તવના પરિવારજનોએ આજે કોમેડિયનની તબિયત અંગે કોઈ અપડેટ(update) આપ્યું નથી. જો કે શેખર સુમનના જણાવ્યા અનુસાર રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેના અંગો હવે કામ કરી રહ્યા છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પર ટ્વીટ (tweet)કરીને લખ્યું, "રાજુના અંગો સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. જો કે તે હજુ પણ બેભાન છે, પરંતુ ડોક્ટર્સનું કહેવું છે કે તેની તબિયત ઝડપથી સુધરી રહી છે. મહાદેવની કૃપા છે. હર મહાદેવ."દિલ્હીમાં(Delhi) રાજુના મોટા ભાઈના ઘરે વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, રાજુના સારા સ્વાસ્થ્ય માટે કોમેડિયનના પરિવારજનો તેમજ તેના ચાહકો પ્રાર્થના (pray)કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુના ભાઈના ઘરે છેલ્લા બે દિવસથી પૂજા ચાલી રહી છે. આ વિશેષ પૂજા પાંચ દિવસ સુધી ચાલશે. અહેવાલો અનુસાર, ઘણા બ્રાહ્મણો વિધિ વિધાન દ્વારા સંપૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા કરવામાં આવી રહી છે. આ પૂજામાં, રાજુના તમામ ભાઈઓ, તેની પત્ની શિખા અને તેમના બાળકો રાજુની ઝડપથી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : રિલીઝ પહેલા જ લીક થઇ રણબીર-આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ની સ્ટોરી- મૌની રોય નહીં આ કલાકાર છે ફિલ્મ માં અસલી વિલન
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે હાર્ટ એટેક(Heart attack) આવતાં દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને છાતીમાં દુખાવો થતો હતો, તે જીમમાં વર્કઆઉટ(workout) દરમિયાન પડી ગયો હતો. તેનો ટ્રેનર તેને હોસ્પિટલ લઈ ગયો. તે જ દિવસે તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, પરંતુ તે હોશમાં આવ્યો ન હતો. તેઓ હજુ પણ દિલ્હી AIIMSના ICUમાં દાખલ છે.