Site icon

જાણીતા ફિલ્મ અને થિયેટર કલાકાર આશાલતાનું કોરોનાના કારણે 83 વર્ષની વયે નિધન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 સપ્ટેમ્બર 2020

દિગ્ગજ મરાઠી, હિન્દી ફિલ્મો અને રંગમંચના કલાકાર આશાલતા વાબગાંવકરનુ 83 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. આશાલતા વાબગાંવકર કોરોના વાયરસથી સંક્રમિત હતા. કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ તેમને સતારાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા. આશાલતા વાબગાંવકરના પરિવારે અધિકૃત નિવેદનમાં જણાવ્યુ છે કે આશાલતા વાબગાંવકર સતારા હોસ્પિટલમાં પોતાની મરાઠી સીરિયલ 'આઈ કલુબાઈ'નુ શૂટિંગ કરવા પહોંચ્યા હતા. જ્યાં નિયમ મુજબ તેમની કોરોના તપાસ કરવામાં આવી. જેમાં તે વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.  

 

ઉલ્લેખનીય છે કે આશાલતા વાબગાંવકરે હિંદી અને મરાઠી બંને ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આશાલતા વાબગાંવકરે 100થી વધુ ફિલ્મો કરી હતી. આશાલતા વાબગાંવકરે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'જંજીર'માં પણ કામ કર્યુ હતુ જેમાં તેમણે અમિતાભની સાવકી માની ભૂમિકા નિભાવી હતી.  

India vs England T20: ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું, સ્ટેડિયમમાં રણબીર-રાહા અને બોલિવૂડ સ્ટાર્સે મચાવી ધૂમ; જુઓ સેલિબ્રેશનના વાયરલ ફોટોઝ..
Arjun Tendulkar Saniya Chandhok Wedding : જ્યારે અર્જુન-સાનિયાના લગ્નમાં સામસામે આવ્યા શાહરુખ અને આમિર! સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ, જુઓ અંદરનો નજારો
Subedaar Movie Review: ‘સૂબેદાર’ રિવ્યુ: અનિલ કપૂરનો એક્શન અવતાર કેવો છે? જાણો શું આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં.
Arjun Tendulkar Wedding: અર્જુન તેંડુલકરના લગ્નમાં ‘સાસુ-સસરા’ થી અલગ જોવા મળી ઐશ્વર્યા રાય, પતિ અભિષેક બચ્ચન સાથે આપ્યા પોઝ
Exit mobile version