Site icon

જાણીતા ફિલ્મ અને થિયેટર કલાકાર આશાલતાનું કોરોનાના કારણે 83 વર્ષની વયે નિધન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 સપ્ટેમ્બર 2020

દિગ્ગજ મરાઠી, હિન્દી ફિલ્મો અને રંગમંચના કલાકાર આશાલતા વાબગાંવકરનુ 83 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. આશાલતા વાબગાંવકર કોરોના વાયરસથી સંક્રમિત હતા. કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ તેમને સતારાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા. આશાલતા વાબગાંવકરના પરિવારે અધિકૃત નિવેદનમાં જણાવ્યુ છે કે આશાલતા વાબગાંવકર સતારા હોસ્પિટલમાં પોતાની મરાઠી સીરિયલ 'આઈ કલુબાઈ'નુ શૂટિંગ કરવા પહોંચ્યા હતા. જ્યાં નિયમ મુજબ તેમની કોરોના તપાસ કરવામાં આવી. જેમાં તે વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.  

 

ઉલ્લેખનીય છે કે આશાલતા વાબગાંવકરે હિંદી અને મરાઠી બંને ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આશાલતા વાબગાંવકરે 100થી વધુ ફિલ્મો કરી હતી. આશાલતા વાબગાંવકરે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'જંજીર'માં પણ કામ કર્યુ હતુ જેમાં તેમણે અમિતાભની સાવકી માની ભૂમિકા નિભાવી હતી.  

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version