Mirzapur film: શું મિર્ઝાપુર ફિલ્મ માં જોવા મળશે સીઝન ના મૃત પાત્રો? ગુડ્ડુ પંડિત એટલે કે અલી ફઝલે કર્યો ખુલાસો

Mirzapur film: મિર્ઝાપુર ની ત્રણ સીઝન આવી ચુકી છે જેને દર્શકો નો ઘણો પ્રેમ મળ્યો છે. હવે મિર્ઝાપુર ફિલ્મ આવી રહી છે જેને લઈને અલી ફઝલે કેટલાક ખુલાસા કર્યા છે.

by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Mirzapur film: મિર્ઝાપુર એમેઝોન પ્રાઈમ વિડીયો ની લોકપ્રિય વેબસીરીઝ છે. આ સિરીઝ ના અત્યારસુધી ત્રણ ભાગ આવી ચુક્યા છે હવે દર્શકો આ સિરીઝ ના ચોથા ભાગ ની ડિમાન્ડ કરી રહ્યા છે. તેવામાં મિર્ઝાપુર ફિલ્મ ની જાહેરાત થઇ છે. હવે લોકો એ જાણવા માંગે છે કે મિર્ઝાપુર ફિલ્મ માં શું વાર્તા હશે. આ વિશે સિરીઝ ના ગુડ્ડુ પંડિત એટલે કે અભિનેતા અલી ફઝલે ખુલાસો કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો : The sabarmati report: સંસદ ભવનમાં યોજાયું ધ સાબરમતી રિપોર્ટ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ,પીએમ મોદી સહિત આટલા કેન્દ્રીય મંત્રીઓએ જોઈ વિક્રાંત મેસી ની ફિલ્મ

મિર્ઝાપુર ફિલ્મ ની વાર્તા 

એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયારે અલી ફઝલ ને મિર્ઝાપુર ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અલી એ જવાબ માં કહ્યું કે, “અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ OG કાસ્ટ છે અને અમે ટેબલ પર આવ્યા છીએ. મારે સમયસર પાછા જવું પડશે, કારણ કે કેટલાક મૃત લોકો પણ બતાવવાના છે.” જ્યારે અલી ને પૂછવામાં આવ્યું કે શું લોકપ્રિય વેબ સિરીઝની પ્રિક્વલ પણ આવશે. આના પર તેણે કહ્યું કે તે ફિલ્મ રિલીઝ થયા પછી ખબર પડશે. અત્યારે અમે તેને થિયેટરોમાં લાવવા માટે ઉત્સાહિત છીએ.


મિર્ઝાપુરમાં અલી ફઝલ,વિક્રાંત મેસી,પંકજ ત્રિપાઠી ,વિજય વર્મા, દિવ્યેન્દુ  શર્મા, રસિકા દુગ્ગલ, કુલભૂષણ ખરબંદા જેવા કલાકારો નો સમાવેશ થાય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

You may also like