Site icon

મોનીકા ભદોરિયાએ ફરી તારક મહેતાના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ,શો દરમિયાન ’બાઘા’ ની ‘બાવરી’ ને આવતા હતા આવા વિચાર

અભિનેત્રી મોનિકા ભદોરિયાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના નિર્માતાઓએ શોમાં કામ કરતી વખતે તેને હેરાન કરી હતી.

monika bhadoriya aka bawri she was suicidal while working in taarak mehta ka ooltah chashmah

મોનીકા ભદોરિયાએ ફરી તારક મહેતાના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ,શો દરમિયાન ’બાઘા’ ની ‘બાવરી’ ને આવતા હતા આવા વિચાર

News Continuous Bureau | Mumbai

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. શોનું દરેક પાત્ર પોતાનામાં જ રસપ્રદ છે, શોમાં એવા ઘણા પાત્રો છે જે બહુ ઓછા દેખાય છે, પરંતુ ખૂબ જ ખાસ હોય છે. દરમિયાન, અમે શોમાં બાવરીની ભૂમિકા ભજવનાર મોનિકા ભદોરિયા વિશે વાત કરીશું, બાવરી, જેણે પોતાની અભિનય અને નિર્દોષતાથી આખી દુનિયાનું દિલ જીત્યું હતું, તે તેના વાસ્તવિક જીવનમાં ખૂબ જ પરેશાન હતી. હા, તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે આ વાતનો ખુલાસો કર્યો છે.

Join Our WhatsApp Community

 

મોનિકા ભદોરિયા ને આવતા હતા આત્મહત્યા ના વિચાર 

અભિનેત્રી મોનિકા ભદૌરિયાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નિર્માતાઓએ શોમાં કામ કરતી વખતે તેને હેરાન કરી હતી. તેણે કહ્યું કે તે સમયે તેના મગજમાં આત્મહત્યાના વિચારો પણ આવ્યા હતા. તેણે કહ્યું કે નિર્માતાઓએ તેને ત્રણ મહિનાની બાકી રકમ ચૂકવી ન હતી, જે લગભગ ₹4-5 લાખ હતી, આ લગભગ એક વર્ષ સુધી ચાલ્યું. મોનિકાએ શોના સેટ પરના દિવસોને નરક ગણાવ્યા અને દાવો કર્યો કે જ્યારે તેની માતા કેન્સરની સારવાર લઈ રહી હતી ત્યારે શોના નિર્માતાઓએ તેને સાથ આપ્યો ન હતો. તેણીએ કહ્યું હતું કે, “હું હોસ્પિટલમાં રાત પસાર કરતી હતી અને તેઓ મને શૂટ માટે વહેલી સવારે ફોન કરતા હતા. હું કહેતી કે મારી માનસિક સ્થિતિ બરાબર નથી, તો પણ તેઓ મને આવવા દબાણ કરતા. સૌથી ખરાબ વાત એ હતી કે શૂટ પર આવ્યા પછી પણ હું રાહ જોતી હતી, મારે કંઈ કરવાનું નહોતું.

 

મોનીકા ને મેકર્સે આપી હતી ધમકી 

મોનિકાએ વધુમાં કહ્યું કે, જ્યારે હું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે કામ કરી રહી હતી ત્યારે ખૂબ જ ટોર્ચર થતી હતી, તેથી આ બધા વિચારોથી મને લાગ્યું કે મારે આત્મહત્યા કરવી જોઈએ. તેને કહ્યું TMKOC ના નિર્માતાઓએ એકવાર કહ્યું કે ‘તેના પિતાનું અવસાન થયું, અને અમે પૈસા આપ્યા’. અમે તેની બીમાર માતાની સારવાર માટે ચૂકવણી કરી હતી’ આ શબ્દોએ મને ઘણું દુઃખ પહોંચાડ્યું.’મોનિકાએ એમ પણ કહ્યું કે તે તેની બીમાર માતાને છેલ્લી વખત સેટ પર લાવવા માંગતી હતી, જેથી તે જોઈ શકે કે તેની પુત્રી ક્યાં કામ કરે છે, પરંતુ સેટ પરનું વાતાવરણ એવું હતું કે તે આવું કરી શકી નહીં.મોનિકાએ કહ્યું કે શો છોડતી વખતે અસિત મોદીએ તેને ધમકી આપી હતી કે તે ટીવીમાં ફરી કામ કરી શકશે નહીં.

આ સમાચાર પણ વાંચો: ‘રીટા રિપોર્ટર’ ના ખુલાસા થી વધી શકે છે TMKOC નિર્માતાઓ ની મુશ્કેલી, પ્રિયા આહુજા એ જેનિફર બંસીવાલ વિશે કહી આવી વાત

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version