News Continuous Bureau | Mumbai
Mouni Roy Suraj Nambiar Divorce Rumors। બોલિવૂડ અને ટેલિવિઝન એક્ટ્રેસ મૌની રોય અને દુબઈ સ્થિત બિઝનેસમેન સૂરજ નાંબિયારના લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું હોવાની ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર તેજ બની છે. સોશિયલ મીડિયા પર એવા પણ દાવા કરવામાં આવ્યા હતા કે સૂરજે મૌનીને છેતરી છે અને તેના પૈસાનો અંગત ઉપયોગ કર્યો છે. આ તમામ અફવાઓ વચ્ચે હવે મૌની રોયે મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે.
મૌની રોયની ધીરજ ખૂટી, મીડિયાને કરી વિનંતી
મૌની રોયે તેની સત્તાવાર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું કે, “હું તમામ મીડિયા હાઉસીસને વિનંતી કરવા માંગુ છું કે તેઓ ખોટા નેરેટિવ ન ફેલાવે અને અમારી પ્રાઈવસી (Privacy) નું સન્માન કરીને અમને સ્પેસ આપે.” આ સાથે તેણે હાથ જોડતી ઈમોજી પણ મૂકી છે. મૌનીના આ રિએક્શનથી સ્પષ્ટ થાય છે કે તે આ પ્રકારની અફવાઓથી કેટલી પરેશાન છે.
સોશિયલ મીડિયા પર શું હતી ચર્ચા?
મૌની અને સૂરજની ૪ વર્ષ જૂની જોડી તૂટવાને લઈને સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા. અનેક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ લગ્ન જીવનમાં તિરાડ પડી છે. જોકે, મૌનીએ આ લિખિત પોસ્ટ દ્વારા અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. એક્ટ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેમની અંગત જિંદગી વિશે ખોટી વાતો ન બનાવવામાં આવે.
ચાહકો કરી રહ્યા છે સપોર્ટ
મૌની રોયની આ સ્પષ્ટતા બાદ તેના ચાહકો તેને સપોર્ટ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે સેલિબ્રિટીઝની અંગત જિંદગીમાં સતત દખલગીરી ન થવી જોઈએ. મૌની અને સૂરજે ૨૦૨૨માં ગોવા ખાતે ભવ્ય લગ્ન કર્યા હતા અને સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અવારનવાર વાયરલ થતી રહે છે. હાલમાં મૌનીના આ રિએક્શન બાદ અફવાઓ પર વિરામ લાગવાની આશા છે.
👉 આ સમાચાર વાચો:
Abhishek Bachchan Shambhu Raje| ટ્રાફિક સિગ્નલ પર અભિષેક બચ્ચન સાથે બની ચોંકાવનારી ઘટના, એક્ટરે કહ્યું ‘મારી સાથે આવું પહેલા ક્યારેય નથી થયું…’