News Continuous Bureau | Mumbai
ફિલ્મ આદિપુરુષ માં હિન્દુ દેવતાઓ રામ, સીતા, હનુમાન અને રાવણના ખોટા ચિત્રણ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં વિવાદિત સીન હટાવવામાં ન આવે ત્યાં સુધી સિનેમા હોલમાં પ્રદર્શિત ન કરવા અને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર ન આપવાની માંગ કરવામાં આવી છે.
ફિલ્મ આદિપુરુષ વિરુદ્ધ હાઈકોર્ટમાં દાખલ થઇ અરજી
હિંદુ સેના દ્વારા આદિરપુરુષ ફિલ્મનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમનું કહેવું છે કે ફિલ્મમાં ભગવાન શ્રીરામની મજાક ઉડાવવામાં આવી છે. આવી સ્થિતિમાં દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરીને ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાંથી કેટલાક વાંધાજનક દ્રશ્યો હટાવવા જોઈએ. પીઆઈએલમાં જણાવાયું હતું કે મહર્ષિ વાલ્મીકિ અને સંત તુલસીદાસ દ્વારા લખાયેલી રામાયણમાં ભગવાન શ્રીરામને જે રીતે દર્શાવવામાં આવ્યા છે તે રીતે ફિલ્મ મેળ ખાતી નથી.અહેવાલ મુજબ, પીઆઈએલ જણાવે છે કે હિન્દુ ઓ ભગવાન રામ, સીતા અને હનુમાનની છબીને લઈને પવિત્ર છબી ધરાવે છે અને ફિલ્મ નિર્માતાઓ, નિર્દેશકો અને અભિનેતાઓ દ્વારા તેમની દૈવી છબી સાથે કોઈપણ ફેરફાર/છેડછાડ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન હશે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આનાથી ભગવાન રામ, સીતા અને હનુમાનનું પણ અપમાન થયું છે, જેનાથી હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે.
આદિપુરુષ પર પ્રતિબંધ ની મૂકી માંગણી
અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેના પર પ્રતિબંધ મુકવામાં આવે અને જ્યાં સુધી વિવાદિત દ્રશ્યો હટાવવામાં ન આવે ત્યાં સુધી તેને પ્રદર્શિત ન કરવાનો નિર્દેશ આપવામાં આવે. અરજદારે આ કેસમાં કેન્દ્ર સરકાર, સેન્સર બોર્ડ, તમિલનાડુ સરકાર, ફિલ્મ નિર્માતા ઓમ રાઉત અને ટી-સિરીઝને પ્રતિવાદી બનાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: આદિપુરુષ પબ્લિક રિવ્યુ: ‘રામ’ તરીકે ચમક્યો પ્રભાસ, લોકોએ કરી ફિલ્મ ની પ્રશંસા, પરંતુ અહીં રહી ગઈ થોડી ચૂક
 
			         
			         
                                                        