News Continuous Bureau | Mumbai
Naagin 7: એકતા કપૂરે તાજેતરમાં તેની સિરિયલ નાગિન 7 ની જાહેરાત કરી હતી ત્યારબાદ થી લોકો માં આ સિરિયલ ને લઈને ઉત્સાહ વધી ગયો છે. હવે ચાહકો માં આ સિરિયલ ના મુખ્ય પાત્ર ને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે નાગિન 7 માં પ્રિયંકા ચહર ચૌધરી, એશા ગુપ્તા અને વિવિયન ડીસેના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.નાગિન 7 માટે પ્રિયંકાનું નામ ઘણા સમયથી સમાચારમાં છે, પરંતુ હવે આ સમાચારો પર પૂર્ણવિરામ મુકતા પ્રિયંકા એ હકીકત જણાવી છે.
આ સમાચાર પણ વાંચો: Govinda wife Sunita: શું શરાબી છે ગોવિંદા ની પત્ની? દારૂ પીવા પર સુનિતા અહુજા આપી ચોંકાવનારી પ્રતિક્રિયા
પ્રિયંકા એ જણાવી હકીકત
પ્રિયંકા ચહર ચૌધરીએ તેની ઇન્સ્ટા સ્ટોરી માં લખ્યું છે કે, ‘અફવાઓ?’ હા, મેં પણ જોયું છે. ઉત્તેજના? હું જૂઠું નહીં બોલું, મને મજા આવી. પણ ચાલો તેને વાસ્તવિક રાખીએ. ના, હું નાગિન નથી બની રહી. હવે અફવાઓ દૂર થઈ ગઈ છે. નવી બાબતો તરફ આગળ વધવાનો સમય આવી ગયો છે.’ જોકે અભિનેત્રીએ નાગિન 7 લખ્યું નથી.પ્રિયંકા ચહર ચૌધરીની આ પોસ્ટથી ચાહકો દુઃખી થયા છે. મોટી સંખ્યામાં લોકો પ્રિયંકાને નાગિન બનતી જોવા માંગે છે, પરંતુ આવું થવાનું નથી.
View this post on Instagram
 
એકતા કપૂર ની સિરિયલ નાગિન માં અત્યારસુધી ઘણી અભિનેત્રીઓ નાગિન બની ચુકી છે હવે જોવાનું એ રહેશે કે હવે સીઝન 7 માં એકતા કપૂર ની નાગિન કોણ બનશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)