Naagin 7: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો છોડ્યા બાદ શહેજાદા ધામી ને લાગી લોટરી, એકતા કપૂર ની આ સિરિયલ માં ભજવશે મુખ્ય ભૂમિકા!

naagin 7 shehzada dhami will enter in ekta kapoor show after leaving from YRKKH

News Continuous Bureau | Mumbai 

Naagin 7: એકતા કપૂર ની સિરિયલ નાગિનની આગામી સિઝનની ચાહકો રાહ જોઈ રહ્યા છે. અત્યારસુધી નાગીનની છ સીઝન આવી ગઈ છે.હવે ચાહકો એ જાણવા આતુર છે કે એકતા કપૂર ( Ekta Kapoor ) ની સિરિયલ નાગિન માં કોણ નાગિન ની ભૂમિકા ભજવશે. હવે આવી સ્થિતિમાં, નાગિન 7 ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શહેજાદા ધામી એકતા કપૂરની નાગિન 7માં એન્ટ્રી કરી શકે છે. 

નાગિન 7 માં થઇ શહેજાદા ધામી ની એન્ટ્રી?

મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાગિન 7 ના નિર્માતાઓએ તેમના શો માટે શેહજાદા ધામીનો ( shehzada dhami ) મુખ્ય ભૂમિકા માટે સંપર્ક કર્યો છે. શહેજાદા ને લઈને આ પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો જે મુજબ અભિનેતા ને કલર્સ ( Colors ) ટીવી શોની ઓફર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે નાગિન 7 પણ કલર્સ ટીવી ( TV Show ) પર આવે છે. આ કારણોસર, નાગિન 7 માં શહેજાદા ની એન્ટ્રી કન્ફર્મ માનવામાં આવે છે

 

View this post on Instagram

 

A post shared by Telly Reporter (@tellyreporter)

આ સમાચાર પણ વાંચો :  Aarti chabria: અક્ષય કુમાર સાથે આવારા પાગલ દીવાના માં જોવા મળેલી અભિનેત્રી આરતી છાબરિયા છે ગર્ભવતી, આટલી ઉંમરે આપશે તેના પહેલા બાળકને જન્મ

તમને જણાવી દઈએ કે, શહેજાદા ધામીને ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાંથી દૂર કરવામાં આવ્યો છે. આ શોમાં શહેજાદા ધામી અરમાન ના રોલમાં જોવા મળ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)