Site icon News Continuous Bureau | Mumbai

તારક મેહતા ના ચાહકો માટે સારા સમાચાર: પાંચ વર્ષ બાદ શો ના આ મહત્વ ના પાત્ર ની થઇ રહી છે વાપસી, નિર્માતાએ કર્યું કન્ફર્મ

News Continuous Bureau | Mumbai

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના (Tarak Mehta ka Oolta chashma) ચાહકોને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે શૈલેષ લોઢાએ શો છોડી દીધો.(Shailesh Lodha quit the show) શૈલેષ લોઢા હવે બીજા શોમાં જોડાયા છે. આ દરમિયાન 'તારક મહેતા'ના ફેન્સ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. શોનું પ્રખ્યાત પાત્ર દયા બેન વાપસી (Daya ben back in show) કરવા જઈ રહી છે. લાંબા સમયથી દયા બેનની વાપસી અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ ચાહકોને વારંવાર નિરાશ થવું પડ્યું હતું. 'તારક મહેતા'માં ફરી એકવાર જેઠાલાલ અને દયાની નોક ઝોક  જોવા મળશે. આ વાતનો ખુલાસો શોના નિર્માતા અસિત કુમાર(Asit kumar Modi) મોદીએ કર્યો છે.

Join Our WhatsApp Channel

અસિત મોદીએ કહ્યું કે કોઈપણ સારા સમયે દયા બેનને દર્શકો સામે લાવવામાં આવશે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા આસિત મોદીએ શોમાં દયા બેનને પરત લાવવા અંગે કહ્યું કે 'અમારી પાસે દયા બેનનું પાત્ર પાછું ન લાવવાનું કોઈ કારણ નથી. છેલ્લા કેટલાક સમય આપણા બધા માટે મુશ્કેલ રહ્યા છે. હવે વસ્તુઓ થોડી સારી થઈ ગઈ છે. 2022 માં કોઈપણ સારા સમયે અમે દયા બેનનું પાત્ર પાછું લાવવા જઈ રહ્યા છીએ. દર્શકો ફરી એકવાર જેઠાલાલ અને દયા ભાભીનું  (Jethalal and Daya bhabhi) મનોરંજન જોઈ શકશે.શું દિશા વાકાણી (Disha Vakani)દયા બેનનું પાત્ર ભજવશે? આ સવાલ પર અસિત મોદીએ કહ્યું, 'મને ખબર નથી કે દિશા વાકાણી દયા બેન તરીકે પરત ફરશે કે નહિ. દિશા જી સાથે અમારો હજુ પણ સારો સંબંધ છે. અમે એક પરિવાર જેવા છીએ. હવે તે પરિણીત છે અને તેને એક બાળક છે. દરેક વ્યક્તિ પોતાના જીવન અને જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જાય છે. આપણે બધાનું પોતાનું જીવન છે. હું તેના પર કંઈ કહેવા માંગતો નથી પણ દિશા બેન કે નિશા બેન જે હોય તે હોય પરંતુ દયા બેન ચોક્કસ પરત આવશે તે નક્કી છે.

આ સમાચાર પણ વાંચો: 'તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ ના ચાહકોને લાગશે આંચકો! શૈલેષ લોઢા પછી હવે આ અભિનેત્રી પણ છોડી શકે છે શો; જાણો કોણ છે તે એક્ટ્રેસ

તમને જણાવી દઈએ કે 'તારક મહેતા'નું દયા બેન પાત્ર એક પ્રતિકાત્મક પાત્ર બની ગયું છે. દિશા વાકાણી (Disha Vakani dayaben)તેને સ્ક્રીન પર પ્લે કરતી હતી. 2017માં તેણે પ્રસૂતિ માટે બ્રેક લીધો હતો. તે પછી તે શોમાં પાછી આવી નથી.હવે આ સ્થિતિ માં અસિત મોદીએ દયા બેન ના પાત્રની વાપસી ની ઘોષણા કરી છે તો હવે એ જોવું રહ્યું કે શું દિશા વાકાણી જ દયા બેન તરીકે વાપસી કરે છે કે નિર્માતા ને દયા બેન ના પાત્ર માટે કોઈ બીજી અભિનેત્રી મળી ગઈ છે? 

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version