Site icon News Continuous Bureau | Mumbai

લતા મંગેશકર ડુંગરપુરના રાજકુમાર રાજ સિંહના પ્રેમમાં હતી, આ કારણે તૂટ્યું હતું તેમના લગ્નનું સપનું ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022        

Join Our WhatsApp Channel

સોમવાર

લતા મંગેશકરે 92 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. તે લાંબા સમયથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતી. તેમના નિધન પછી હવે માત્ર લતા મંગેશકરનો ભાવપૂર્ણ અવાજ અને તેમની સાથે જોડાયેલી યાદો જ રહી ગઈ છે.ઘણા લોકો લતા મંગેશકરના અંગત જીવન વિશે જાણવા માંગે છે કે તેમણે લગ્ન કેમ ન કર્યા. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે લતા મંગેશકરને પણ પ્રેમ થયો હતો અને તે પણ લગ્ન કરવા માંગતી હતી.

લતા મંગેશકરના લગ્ન ન થવા પાછળ 2 મોટા કારણો હતા. એક તો લતા મંગેશકર નાનપણથી જ તેના ભાઈ-બહેન મીના, આશા, ઉષા અને હૃદયનાથની સંભાળ રાખતા હતા. લતા દીદીની ઉંમર ભણવામાં, લખવામાં અને તેમને સક્ષમ બનાવવામાં વીતી ગઈ. આ પછી એકવાર તેણે લગ્ન કરવાનું મન બનાવ્યું તો નસીબે સાથ ન આપ્યો.મેગેઝિનના એક અહેવાલ મુજબ દિવંગત ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ રાજ સિંહ ડુંગરપુર લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરના નજીકના મિત્ર હતા. રાજ સિંહ રાજસ્થાનના રાજવી પરિવારના હતા અને ડુંગરપુરના તત્કાલીન રાજા સ્વ.મહારાવલ લક્ષ્મણ સિંહજીના સૌથી નાના પુત્ર હતા. બંને વચ્ચે મુલાકાતોનો સિલસિલો વધ્યો અને લતા મંગેશકર તેમના પ્રેમમાં પડી ગયા.

રણબીર કપૂર-આલિયા ભટ્ટ ચાલુ વર્ષ ના આ મહિના માં લેશે સાત ફેરા!! ભટ્ટ પરિવારના સભ્યએ કહી આવી વાત; જાણો વિગત

કહેવાય છે કે લતા તેમને પ્રેમથી મીઠ્ઠુ  કહેતી હતી. બંને લગ્ન કરવાનું મન બનાવી રહ્યા હતા પરંતુ જ્યારે મહારાવલ લક્ષ્મણસિંહજીએ લગ્ન કરવાની ના પાડી દીધી. તેનું કારણ એ હતું કે લતા મંગેશકર રાજવી પરિવારના ન હતા અને મહારાવલ લક્ષ્મણ તેમના પુત્ર રાજ સિંહના લગ્ન સામાન્ય છોકરી સાથે કરવા માંગતા ન હતા. મહારાવલ લક્ષ્મણ સિંહજીના નિર્ણયે રાજ સિંહ ડુંગરપુર અને લતા મંગેશકરના સપના એક જ ક્ષણમાં તોડી નાખ્યા. રાજ સિંહે તેમના પિતાના સન્માનમાં તેમનો નિર્ણય સ્વીકાર્યો પરંતુ એક તેણે જીવનભર લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. લતા મંગેશકરે રાજ સિંહના નિર્ણયની જેમ જીવનભર લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. જો કે, બંને જીવનભર મિત્રો રહ્યા.
 

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version