ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
કંગના રનૌત સોશિયલ મીડિયામાં ઘણી જ ઍક્ટિવ રહે છે. કંગના ફિલ્મ ઉપરાંત સમાજ, રાજકીય મુદ્દા તથા બૉલિવુડ સ્ટાર્સ અંગે બેફામ નિવેદનો આપતી હોય છે. હાલમાં જ આમિર ખાન તથા કિરણ રાવે ડિવૉર્સની જાહેરાત કરી હતી. આ બંનેના ડિવૉર્સના બહાને કંગનાએ મુસ્લિમ કૉમ્યુનિટીને આડેહાથ લીધી છે. તેણે સવાલ કર્યો છે કે કેમ આખરે કોઈ મુસ્લિમની સાથે રહેવા માટે કેમ મુસ્લિમ બનવું પડે છે.
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપુસેનાના આ કલાકારો વચ્ચે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?
કંગનાએ લાંબી નોટ શૅર કરતાં કહ્યું હતું, ‘’એક સમયે પંજાબમાં મોટા ભાગના પરિવારમાં એક દીકરાને હિંદુ તથા બીજા દીકરાને શીખ બનાવવાનો રિવાજ હતો. આવો ટ્રેન્ડ હિંદુઓ તથા મુસ્લિમ અથવા શીખ અને મુસ્લિમ અથવા અન્ય કોઈમાં જોવા મળ્યો નથી. આમિર ખાન સરના ડિવૉર્સ બાદ મને નવાઈ એ વાતની લાગી કે આંતરધર્મીય લગ્નમાં બાળક હંમેશાં મુસ્લિમ જ કેમ બને છે? કેમ મહિલાઓ હિંદુ બનીને રહી શકતી નથી. સમયની સાથે આપણે હવે આ બદલવાની જરૂર છે. આ જૂનો રિવાજ છે. જો એક પરિવારમાં હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, રાધાસ્વામી, નાસ્તિક લોકો રહી શકતા હોય તો મુસ્લિમ કેમ નહીં? આખરે કેમ કોઈએ મુસ્લિમ સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલવો પડે છે?’’