Site icon News Continuous Bureau | Mumbai

Nana Patekar: શું નાના પાટેકર લઇ રહ્યા છે સિનેજગત માંથી નિવૃત્તિ? દિગ્ગ્જ અભિનેતા એ ‘નામ ફાઉન્ડેશન’ ના કાર્યક્રમમાં આપ્યો આવો સંકેત

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે 'નામ ફાઉન્ડેશન'ના દસ વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં નાટક અને ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે, અને સાથે જ સંસ્થાની જવાબદારી વિશે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે

Nana Patekar શું નાના પાટેકર લઇ રહ્યા છે સિનેજગત માંથી નિવૃત્તિ

Nana Patekar શું નાના પાટેકર લઇ રહ્યા છે સિનેજગત માંથી નિવૃત્તિ

News Continuous Bureau | Mumbai
જાણીતા અભિનેતા નાના પાટેકર અને મકરંદ અનાસપુરે દ્વારા સ્થાપિત ‘નામ ફાઉન્ડેશન’ને તાજેતરમાં દસ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે પુણેમાં યોજાયેલા કાર્યક્રમમાં નાના પાટેકરે મહેમાનો સાથે અનૌપચારિક વાતચીત કરતા પોતાની નિવૃત્તિ અંગે સંકેત આપ્યા છે. નાનાએ કહ્યું, “હવે મારે નિવૃત્તિ લેવી છે. હું નાટકો અને ફિલ્મોમાંથી 99 ટકા નિવૃત્ત થઈ રહ્યો છું. જો કોઈ સારી કલાકૃતિ મળશે તો કદાચ કરીશ, પણ હવે મારે મારી રીતે જીવવું છે.” નાના પાટેકર 13 વર્ષની ઉંમરથી કામ કરી રહ્યા છે અને હવે કંઈક અલગ કરવાની તેમની ઈચ્છા વ્યક્ત કરી છે.

75 વર્ષ પછી ફિલ્મી કરિયરમાંથી નિવૃત્તિ

તાજેતરની એક મુલાકાતમાં નાના પાટેકરે કહ્યું, “હું 13 વર્ષની ઉંમરથી કામ કરું છું. હવે હું 75 વર્ષનો થઈ ગયો છું. તેથી, હવે મારે કંઈક અલગ કરવું છે, જે મને ગમે છે તે દિલથી કરીશ. આખરે, આપણે ક્યાંક તો અટકવું જ પડે. 1 જાન્યુઆરીએ હું 75 વર્ષનો થઈશ. તે પછી નાટક અને ફિલ્મોમાંથી નિવૃત્ત થઈને ગામડાના લોકો માટે કામ કરીશ.” તેમણે ‘નામ ફાઉન્ડેશન’ની જવાબદારી મકરંદ અનાસપુરેને સોંપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને કહ્યું કે, “નામ ફાઉન્ડેશનની ધૂરા હવે મકરંદે જ સંભાળવી જોઈએ. હું તેને માર્ગદર્શન આપવા અને જરૂર પડે ત્યારે પ્રોત્સાહિત કરવા માટે હંમેશા સાથે રહીશ.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય

‘નામ ફાઉન્ડેશન’ એક જન આંદોલન

નાના પાટેકરે કહ્યું કે, “નામ ફાઉન્ડેશનનું કાર્યક્ષેત્ર ઘણું વધી ગયું છે. આ સંસ્થાનું આગામી કામ મકરંદ નક્કી કરશે. તેની એવી માન્યતા ખોટી છે કે હું હોઈશ તો જ કામ કરીશ. નામ ફાઉન્ડેશન જેવી સો સંસ્થાઓ બનશે તો પણ સમસ્યાઓ હલ થશે નહીં.” તેમણે કહ્યું કે, “મકરંદ મારા કરતાં ગામડાઓમાં વધુ જાણીતો છે, કારણ કે તેનું જોડાણ ગામડાના લોકો સાથે વધુ મજબૂત છે. નામ ફાઉન્ડેશનને દસ વર્ષ પૂરા થયા તેનો મને આનંદ છે. આ એક એવું આંદોલન છે જે માણસોએ માણસો માટે શરૂ કર્યું છે.” નાનાએ જણાવ્યું કે આ ફાઉન્ડેશનના માધ્યમથી 60 લાખથી વધુ ખેડૂત ભાઈઓને લાભ થયો છે.

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version