Site icon

Nayanthara: અન્નપૂર્ણિ વિવાદ ની વચ્ચે ફિલ્મ ની અભિનેત્રી નયનતારા એ માંગી માફી, પોસ્ટ શેર કરી કહી આવી વાત

Nayanthara: નયનતારા ની ફિલ્મ અન્નપૂર્ણિ ને લઈને વિવાદ સર્જાયો છે. આ ફિલ્મ પર 'હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો' આરોપ મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ફિલ્મ ને નેટફ્લિક્સ પરથી ખસેડી દેવામાં આવી છે. આ દરમિયાન હવે નયનતારા એ માફી માંગી છે.

nayanthara apologises for annapoorani controversy

nayanthara apologises for annapoorani controversy

News Continuous Bureau | Mumbai

Nayanthara: નયનતારા ની ફિલ્મ અન્નપૂર્ણિ ને લઈને વિવાદ ચાલુ છે. આ ફિલ્મ પર હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. ત્યારબાદ આ ફિલ્મ ને નેટફ્લિક્સ પરથી પણ હટાવી દેવામાં આવી છે. દરમિયાન, નયનતારાએ હવે તેની ફિલ્મ ‘અન્નપૂર્ણિ’’ના વિવાદ માટે માફી માંગી છે અને કહ્યું છે કે તેનો અને તેની ટીમનો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો.નયનતારા એ તેની પોસ્ટ માં ‘જય શ્રી રામ’ પણ લખ્યું છે. 

Join Our WhatsApp Community

 

નયનતારા ની પોસ્ટ 

નયનતારા એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ ની શરૂઆત તેને જયશ્રી રામ લખી ને કરી છે. આ પોસ્ટ માં તેને લખું છે કે, ‘’સકારાત્મક સંદેશ શેર કરવાના અમારા પ્રામાણિક પ્રયાસમાં, અમે અજાણતામાં ભૂલ કરી. અમને અપેક્ષા નહોતી કે થિયેટરોમાં રિલીઝ થયેલી આ સેન્સર્ડ ફિલ્મને OTT પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવશે. મારી ટીમ અને મારો ક્યારેય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો અને અમે આ મુદ્દાની ગંભીરતા સમજીએ છીએ.હું તે જાણી જોઈને કેમ કરીશ? અમે જેમની લાગણીઓને ઠેસ પહોંચાડી છે તેમની હું નિષ્ઠાપૂર્વક અને દિલ થી માફી માંગુ છું. અન્નપૂર્ણિ પાછળનો ઉદ્દેશ્ય પ્રેરિત કરવાનો હતો નહીં કે તકલીફ ઊભી કરવાનો છેલ્લા બે દાયકામાં ફિલ્મ ઉદ્યોગમાં મારી સફર એક જ ઉદ્દેશ્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવી છે – હકારાત્મકતા ફેલાવવા અને એકબીજામાં સારાને પ્રોત્સાહન આપવા.’


તમને જણાવી દઈએ કે, નયનતારા ની ફિલ્મ અન્નપૂર્ણિ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી ત્યારબાદ તે 29 ડિસેમ્બરે ઓટિટિ પ્લેટફોર્મ નેટફિલિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. 

આ સમાચાર પણ વાંચો :  Koffee with karan 8: કોફી વિથ કરણ 8 નો ફિનાલે એપિસોડ બનશે મજેદાર, આ લોકો એ ભેગા મળી ને ખેંચી કરણ જોહર ની ટાંગ

 

Shilpa Shetty 60 Crore Fraud Case: શિલ્પા શેટ્ટીનો પલટવાર: ‘મારું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું છે’, 60 કરોડની છેતરપિંડીના કેસમાં એક્ટ્રેસની સફાઈ
Shahrukh khan: અબરામના ફંક્શનમાં કિંગ ખાનનો જલવો: શાહરૂખ ખાન પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે પુત્રને ચીયર કરવા પહોંચ્યો, જુઓ ‘પઠાણ’નો સ્વેગ
Abhishek-Aishwarya: છૂટાછેડાની અફવાઓ વચ્ચે બચ્ચન પરિવારનો ધડાકો: આરાધ્યાના ફંક્શનમાં ઐશ્વર્યાનો હાથ પકડીને પહોંચ્યો અભિષેક, સાથે જોવા મળ્યા બિગ બી!
Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Exit mobile version