News Continuous Bureau | Mumbai
YRKKH Twist: ટીવીનો લોકપ્રિય ફેમિલી ડ્રામા શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (YRKKH) હવે નવા રોમાંચક વળાંકો તરફ આગળ વધી રહ્યો છે. તાજેતરના પ્રોમોમાં નવા વિલન ની ઝલક જોવા મળી છે, જે શોમાં નવું તોફાન લાવશે. સાથે જ એક જૂનું પાત્ર શોમાંથી થોડા સમય માટે ગાયબ રહેશે આ ઉપરાંત કિયારા-અભીર ની લવ સ્ટોરી ફરી ચર્ચામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Sachin Sanghvi Arrested: ‘સ્ત્રી 2’ અને ‘ભેડિયા’ના સંગીતકાર સચિન સંઘવી પર લાગ્યો આવો ગંભીર આરોપ, પોલીસ દ્વારા ધરપકડ
નવા વિલનથી બદલાશે કથા ની દિશા
પ્રોમોમાં નવા વિલનનો ચહેરો દેખાડવામાં આવ્યો છે, જોકે તેના પાત્રની વિગત વિશે હજુ કોઈ ખુલાસો થયો નથી. ફેન્સ માને છે કે આ પાત્ર અભીરા અને અરમાન ના સંબંધમાં તણાવ લાવશે અને કથાને નવો વળાંક આપશે.મનીષા થોડા દિવસ માટે શોમાંથી ગાયબ રહેશે. તાજેતરના એપિસોડમાં તેને કહેતા જોવા મળ્યું કે તે થોડા દિવસ માટે પિયર જઈ રહી છે. આ પાત્રના ગાયબ થવાથી કથામાં નવો ફેરફાર આવી શકે છે.
View this post on Instagram
ક્રિશ તાન્યા સાથે પૂજામાં બેસવાનો હતો, પણ સમયસર ઘરે ન પહોંચતા તાન્યા ચિંતિત થઈ ગઈ. તેની ફ્લાઇટ સમયસર આવી હતી, છતાં તે ગાયબ છે. આવનારા એપિસોડ્સમાં આ રહસ્ય ખુલશે.આ સાથે જ કિયારાને ફરીથી અભીર માટે લાગણી થવા લાગી છે. પહેલા તો માત્ર તાન્યાને શંકા હતી, પણ હવે અન્ય લોકો પણ આ વાતને નોંધવા લાગ્યા છે. જ્યારે કિયારા પોતે આ વાત સ્વીકારી લે છે, ત્યારે પોદ્દાર હાઉસમાં મોટો હંગામો થવાનો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)