Nita Ambani: મુંબઈ ઇન્ડિયન્સ ની સફળતા માટે પ્રાર્થના કરવા સાઈ બાબા ના દરબાર માં પહોંચી નીતા અંબાણી, રોહિત શર્મા ને કેપ્ટન બનાવવાને લઈને કહી આવી વાત

Nita Ambani: નીતા અંબાણી પોતાની ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ની સફળતા માટે પ્રાર્થના કરવા શિરડી માં સાઈબાબા ના દરબાર માં પહોંચી હતી આ દરમિયાન તેને પ્રશંસકો ના સવાલ ના જવાબ આપ્યા હતા.

by Zalak Parikh
Nita Ambani Visits Shirdi Fan Requests Make Rohit Captain

News Continuous Bureau | Mumbai

Nita Ambani: અંબાણી પરિવાર આ દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિમાં લીન છે. નીતા અંબાણી શિરડીના સાઈબાબાના દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન એક ફેન એ તેમને વિનંતી કરી કે રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કૅપ્ટન બનાવવામાં આવે. આ પર નીતા અંબાણીએ હસતાં હસતાં જવાબ આપ્યો- ‘બાબાની મરજી.’

આ સમાચાર પણ વાંચો: Celebrity MasterChef: સેલેબ્રીટી માસ્ટર શેફ નો વિનર બન્યો ગૌરવ ખન્ના, ટ્રોફી સાથે અનુપમા ના અનુજે જીતી અધધ આટલી રોકડ રકમ

 નીતા અંબાણીના શિરડી દર્શન

નીતા અંબાણી શિરડીના સાઈબાબાના મંદિરમાં પહોંચી હતી, જ્યાં તેમણે સાઈબાબાને ચુનરી ચઢાવી અને દીવો પ્રગટાવ્યો. આ દરમિયાન તેઓ ખૂબ જ સાદા લુકમાં જોવા મળી હતી.સાઈબાબાના દર્શન બાદ નીતા અંબાણી જ્યારે મંદિરથી બહાર આવી રહી હતી, ત્યારે એક ફેનએ રોહિત શર્માને કૅપ્ટન બનાવવાની વિનંતી કરી. આ પર નીતા અંબાણીએ કહ્યું, ‘બાબાની મરજી.’


અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ ભક્તિમાં મગ્ન છે. અનંત અંબાણીએ 170 કિમીની પદયાત્રા પૂર્ણ કરી હતી, જ્યારે આકાશ અંબાણી શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કરવા પહોંચ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

You may also like