News Continuous Bureau | Mumbai
Ramayan release date: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે.આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં અને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. નિતેશ તિવારી એ હવે આ ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે તેમજ તેમને એ પણ જણાવ્યું છે કે આ ફિલ્મ બે પાર્ટ માં રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચો : Tabu birthday: 53 વર્ષ ની ઉમર માં પણ કુંવારી છે તબ્બુ, બાળકલાકાર થી ડેબ્યુ કરનાર અભિનેત્રી આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો એક્ટ્રેસ ની નેટવર્થ વિશે
રામાયણ ની રિલીઝ ડેટ
નિતેશ તિવારી એ તેમના સોશિયલ મીડિયા પર ફિલ્મ ના ફર્સ્ટ લુક ની સાથે જણાવ્યું કે આ ફિલ્મનો પહેલો ભાગ આવતા વર્ષે દિવાળી ના અવસર પર સિનેમાઘરોમાં આવશે. બીજો ભાગ દિવાળી 2027 પર આવશે. આ જાહેરાત સાથે તેમને લખ્યું, ‘આપણી રામાયણ, આપણી સંસ્કૃતિ અને આપણા ઈતિહાસને વિશ્વ સાથે શેર કરવાના કૃતજ્ઞ હૃદય અને સ્વપ્ન સાથે, અમે તમારો પ્રેમ અને આશીર્વાદ માંગીએ છીએ.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, નિતેશ તિવારી ની રામાયણ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં તેમજ સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે આ ફિલ્મ માં યશ, સની દેઓલ, રવિ દુબે, અરુણ ગોવિલ જેવા અન્ય ઘણા કલાકારો જોવા મળશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)