Ramayan: રણબીર કપૂર ની અભિનેત્રી બનશે આ સ્ટારકિડ! શું નિતેશ તિવારી ની રામાયણ માં ભજવશે માતા સીતા ની ભૂમિકા?

Ramayan: નિતેશ તિવારી ની રામાયણ તેની સ્ટારકાસ્ટ ને કરને ચર્ચા માં રહે છે. રોજ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને અપડેટ આવતા રહે છે હવે લેટેસ્ટ અપડેટ મુજબ નિતેશ તિવારી ની રામાયણ માં સાઈ પલ્લવી નહિ પરંતુ આ સ્ટારકિડ ને માતા સીતા ની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે.

by Zalak Parikh
nitesh tiwari ramayan janhvi kapoor may replace sai pallavi for sita role

News Continuous Bureau | Mumbai 

Ramayan: નિતેશ તિવારી ની રામાયણ તેની સ્ટારકાસ્ટ ને કારણે ચર્ચામાં રહે છે. મીડિયા માં ફિલ્મ ને સ્ટારકાસ્ટ ને લઈને એવા એહવાલ આવ્યા હતા કે, આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભુમિકા માં અને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકા માં જોવા મળશે. આ ઉપરાંત રાવણ ના રોલ માં યશ, વિભીષણ ના રોલ માં વિજય સેતુપતિ અને હનુમાન ના રોલ માં સની દેઓલ જોવા મળશે. હવે લેટેસ્ટ મીડિયા રિપોર્ટ મુજબ જ્હાન્વી કપૂર સીતાનું પાત્ર ભજવશે. 

આ સમાચાર પણ વાંચો : Poonam pandey: લોકો ની આકરી ટીકા થી કંટાળી ગઈ પૂનમ પાંડે, એક નોટ શેર કરી કહી આવી વાત

જ્હાન્વી કપૂર ભજવશે માતા સીતા ની ભૂમિકા!

મીડિયા માં ફિલ્મ રામાયણ ની સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. આ ફિલ્મ માં ભગવાન રામ ની ભૂમિકા માટે રણબીર કપૂર ને ફાઇનલ કરવામાં આવ્યો છે. અને માતા સીતા ની ભૂમિકા માટે સાઈ પલ્લવી નું નામ સામે આવ્યું હતું પરંતુ હવે મીડિયા ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ માતા સીતા ની ભૂમિકા માટે જ્હાન્વી કપૂર ની પસંદગી કરવામાં આવી છે. સૂત્રના જણાવ્યા અનુસાર, જ્હાન્વી એ નીતિશ સાથે ફિલ્મ ‘બવાલ’ માં કામ કર્યું છે અને તેને લાગે છે કે તે સીતાના રોલમાં તે ફિટ થશે.જો કે આ સમાચાર અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More