Nitesh Tiwari: નિતેશ તિવારીની રામાયણ પર સુનીલ લાહરી એ વ્યક્ત કર્યા વિચાર, ‘રણબીર અને આલિયા ના રામ અને સીતા ના પાત્ર વિશે કહી આ વાત

રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવીને ફેમસ થયેલા એક્ટર સુનીલ લાહિરી અવારનવાર ચર્ચામાં રહે છે. હવે તેણે આલિયા-રણબીરની ફિલ્મ રામાયણ પર પ્રતિક્રિયા આપી છે.

by Akash Rajbhar
nitesh tiwari ramayana sunil lahri reaction on alia bhatt and ranbir kapoor casting

News Continuous Bureau | Mumbai

રામાનંદ સાગરના હિટ ટીવી શો ‘રામાયણ’ના લક્ષ્મણ તરીકે જાણીતા સુનીલ લાહરી ફરી એકવાર નાના પડદા પર જોવા મળશે કારણ કે આ શો ફરીથી ટેલિકાસ્ટ થવાની તૈયારીમાં છે. 1987ના શોમાં, સુનીલ અરુણ ગોવિલની સામે જોવા મળ્યો હતો જેણે રામની ભૂમિકા ભજવી હતી અને દીપિકા ચીખલિયા જેણે સીતાની ભૂમિકા ભજવી હતી. આ શોમાં હનુમાનની ભૂમિકા ભજવનાર સ્વ. દારા સિંહ અને રાવણના રૂપમાં જોવા મળતા સ્વ. સ્વ.અરવિંદ ત્રિવેદીએ પણ દમદાર અભિનય આપ્યો હતો.

 સુનિલ લાહરી એ આલિયા અને રણબીર વિશે કરી વાત

એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે સુનીલને સવાલ પૂછવામાં આવ્યો કે હવે નિતેશ તિવારી રામાયણ પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જોવા મળશે, શું તમે આ કાસ્ટિંગ સાથે સહમત છો? આના જવાબમાં સુનીલ લહેરીએ કહ્યું કે, ‘બંને ખૂબ સારા અભિનેતા છે અને મને લાગે છે કે તેઓ વિષય સાથે ન્યાય કરશે. રામના રોલ માટે રણબીર ખૂબ જ સારો વિકલ્પ છે અને તે સારો અભિનય આપી શકે છે.

આ સમાચાર પણ વાંચો: Uniform Civil Code Bill: યુનિફોર્મ સિવિલ કોડ બિલ સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે: સૂત્રો

આલિયા પણ ખૂબ જ પ્રતિભાશાળી છે, પરંતુ મને લાગે છે કે જો આલિયાએ 5 વર્ષ પહેલાં સીતાનો રોલ કર્યો હોત તો તેણે પાત્રને વધુ ન્યાય આપ્યો હોત. આ મારો અંગત અભિપ્રાય છે. મને લાગે છે કે આ વર્ષોમાં આલિયા ઘણી બદલાઈ ગઈ છે. મને ખાતરી નથી કે તે હવે સીતાના રોલમાં કેટલી કન્વિન્સિંગ હશે.’

સુનિલ લાહિરી એ કરી રામાયણ વિશે વાત

એક ઈન્ટરવ્યુ દરમિયાન સુનીલ લાહિરી ને રામાયણ વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે હવે રામાયણમાં રામ અને લક્ષ્મણના પાત્રની તાજેતરની રિલીઝ આદિપુરુષમાં જોવા મળેલા ચિત્રણ સાથે પણ સરખામણી કરી છે. તેને ઓમ રાઉતની ફિલ્મ ગમી ન હતી અને તેણે નિતેશ તિવારી સહિતના તમામ લોકો માટે એક સલાહ શેર કરી છે જેઓ ફરી એકવાર મહાકાવ્ય પર ફિલ્મ બનાવવા અથવા શો કરવા માંગે છે. સુનીલ લાહિરી રામાયણના પુનરાગમન વિશે વાત કરી હતી કે તે કેવી રીતે સદાબહાર અને સુસંગત રહેશે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More