Site icon News Continuous Bureau | Mumbai

દ્રૌપદી નું ‘ચીર હરણ’ કરવા બદલ ‘દુર્યોધન’ પર દાખલ થયો હતો કેસ, બહાર પાડવામાં આવ્યું હતું બિનજામીનપાત્ર વોરંટ, જાણો સમગ્ર મામલો

મહાભારતમાં દુર્યધનની ભૂમિકા ભજવનાર પુનીત ઈસાર સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. એ પછી શું થયું? આવો, આગળની વાર્તા જાણીએ પુનીત ઈસારના પોતાના શબ્દોમાં.

non bailable warrant issued against mahabharat duryodhan puneet issar for draupadi cheer haran

દ્રૌપદી નું ‘ચીર હરણ’ કરવા બદલ 'દુર્યોધન' પર દાખલ થયો હતો કેસ, બહાર પાડવામાં આવ્યું હતું બિનજામીનપાત્ર વોરંટ, જાણો સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

રામાનંદ સાગરની ‘રામાયણ’ની જેમ બીઆર ચોપરા અને રવિ ચોપરાની ‘મહાભારત’ પણ ખૂબ પ્રખ્યાત હતી.જે રીતે લોકો ‘રામાયણ’ના દરેક પાત્રને વાસ્તવિક માનવા લાગ્યા, તેવી જ રીતે ‘મહાભારત’ના પાત્રોને પણ લોકો પસંદ કરવા લાગ્યા.જો કે ‘મહાભારત’માં આવો સીન બતાવવામાં આવ્યો હતો જેના કારણે લોકો ખૂબ ગુસ્સે થયા હતા.મામલો ત્યાં સુધી પહોંચી ગયો હતો કે ‘મહાભારત’માં દુર્યોધનની ભૂમિકા ભજવનાર પુનીત ઇસ્સાર સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Channel

 

પુનીત ઈસારે જણાવી ઘટના  

ઘટના વિશે પુનીત ઈસરે પોતે જ જણાવ્યું હતું.તેણે કહ્યું હતું કે, ‘મહાભારતનું શૂટિંગ પૂરું કર્યા પછી હું ક્યાંક જઈ રહ્યો હતો.ત્યારે અચાનક પોલીસ આવી અને કહ્યું કે મારે તેમની સાથે પોલીસ સ્ટેશન જવું પડશે.હું ગભરાઈ ગયો.હું સમજી જ ના શક્યો કે મેં શું કર્યું જેના કારણે આ લોકો મારી ધરપકડ કરી રહ્યા છે.દરમિયાન, પોલીસ કર્મચારીઓએ જણાવ્યું કે કોઈએ મારી વિરુદ્ધ કોર્ટમાં કેસ નોંધાવ્યો છે અને મારા નામે વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે.મને કઈ સમજાયું નહીં.મેં પૂછ્યું પણ મેં શું કર્યું?પછી તેણે કહ્યું કે વારાણસીમાં એક વ્યક્તિ દ્રૌપદીના ચીર હરણ થી ખૂબ જ દુઃખી છે.હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો.મેં કહ્યું કોઈને પકડવું હોય તો વેદ વ્યાસને પકડો.તેમણે જ મહાભારત લખ્યું હતું.પછી બીઆર ચોપરા અને રવિ ચોપરા આવ્યા અને કોઈક રીતે તેઓએ મામલો ઉકેલ્યો.’

 

આ કારણે રી ઓપન થયો કેસ 

પુનીત ઈસારે વધુમાં કહ્યું, ‘તે સમયે બીઆર ચોપરા અને રવિ ચોપરા કોઈક રીતે કેસને ઉકેલી નાખ્યો હતો.પરંતુ, મુશ્કેલી ત્યારે થઈ જ્યારે ફરીથી 28 વર્ષ પછી મારી વિરુદ્ધ કેસ ખોલવામાં આવ્યો.મેં એક વકીલને રાખ્યો અને તેને આખો મામલો સમજાવ્યો.પછી જ્યારે હું આ કેસના સંબંધમાં બનારસ પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે તે વ્યક્તિએ મારી સાથે એક ફોટો ક્લિક કરાવવા માટે જ મારો કેસ રિ-ઓપન કરાવ્યો હતો.

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version