Site icon News Continuous Bureau | Mumbai

રિતિક રોશન કે રણવીર સિંહ કોણ કરશે બ્રહ્માસ્ત્ર ના બીજા ભાગમાં દેવ નો રોલ- અયાન મુખર્જીએ કર્યો ખુલાસો 

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર-આલિયા ભટ્ટની(Ranbir Kapoor-Alia Bhatt) બ્રહ્માસ્ત્રે(Brahmastra) પાંચ દિવસમાં 150 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. 410 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 250 કરોડથી વધુની કમાણી કરી છે. બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા(Part One: Shiva) નો ક્રેઝ જોયા બાદ ફિલ્મના ડિરેક્ટરે(Film director) તેની સિક્વલ બ્રહ્માસ્ત્ર પાર્ટ ટુ:(Brahmastra Part Two) પર કામ શરૂ કરી દીધું છે. અયાન મુખર્જીએ(Ayan Mukherjee) તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન આ માહિતી આપી હતી. એટલું જ નહીં, તેણે બીજા ભાગની સંભવિત કાસ્ટ પર પણ નિવેદન આપ્યું છે.

Join Our WhatsApp Channel

બ્રહ્માસ્ત્રની રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા(Social media) પર એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રહ્માસ્ત્રના બીજા ભાગમાં રિતિક રોશન અથવા રણવીર સિંહ(Hrithik Roshan or Ranveer Singh) દેવની ભૂમિકા ભજવશે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પાર્ટ 2માં રણબીર કપૂર ડબલ રોલ કરવાનો છે. હવે અયાન મુખર્જીએ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે.અયાન મુખર્જીએ મીડિયા હાઉસ સાથેની વાતચીત દરમિયાન આ બધી અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું અને કહ્યું, "ભાગ 2 માં દેવની ભૂમિકા કોણ ભજવશે તે હું અત્યારે જાહેર કરી શકતો નથી. હા, મને સોશિયલ મીડિયા પર લોકો દ્વારા સૂચવવામાં આવેલ નામો વાંચ્યા છે, પણ આ રહસ્ય ખોલવામાં સમય લાગશે."

 આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદ બાદ પારસ કલનાવત પડ્યો આ એક્ટ્રેસના પ્રેમમાં -બધાની સામે જણાવ્યું તેના ક્રશ નું નામ 

અયાન મુખર્જીએ કહ્યું કે તેણે બીજા ભાગની સ્ક્રિપ્ટ ફાઈનલ કરી છે. વિશ્વભરના સિનેમાઘરોમાં બ્રહ્માસ્ત્રનો પહેલો ભાગ રિલીઝ થયો તે દિવસથી તેના બીજા ભાગ પર કામ શરૂ થઈ ગયું છે. અત્યારે ટીમ લોકોના ફીડબેક લઈને બીજા ભાગને વધુ સારો બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

 

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version