News Continuous Bureau | Mumbai
Pak Celeb on Operation Sindoor: જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન અને પીઓકે માં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ પગલાં બાદ જ્યાં ભારતભરમાં દેશ ભક્તિનો માહોલ છે, ત્યાં પાકિસ્તાની કલાકારો એ આ કાર્યવાહી પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. હાનિયા આમિર અને માહિરા ખાન સહિતના કલાકારો એ ભારતની આ કાર્યવાહી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: Met Gala 2025: મેટ ગાલા 2025 ના રેડ કાર્પેટ પર છવાઈ પ્રિયંકા ચોપરા, પતિ નિક જોનાસ પર આ રીતે પ્રેમ વરસાવતી જોવા મળી દેસી ગર્લ
પાકિસ્તાની સેલેબ્સ ની પ્રતિક્રિયા
પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી જેમાં લખ્યું – “મારી પાસે અત્યારે કોઈ સારા શબ્દો નથી. મારી પાસે ફક્ત ગુસ્સો, પીડા અને દુઃખી હૃદય છે. એક બાળક ગયું, પરિવારો વિખેરાઈ ગયા, અને શા માટે? આ રીતે તમે કોઈનું રક્ષણ નથી કરી શકતા. આ તો ક્રૂરતા છે. તમે નિર્દોષ લોકો પર બોમ્બ ફેંકીને તેને રણનીતિ કહી શકતા નથી. આ તાકાત નથી, આ કાયરતા છે. અમે તમને જોઈ રહ્યા છીએ.”
માહિરા ખાને પણ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી અને લખ્યું – “ઘાતકી રીતે કાયરતાપૂર્ણ. અલ્લાહ આપણા દેશની રક્ષા કરે અને બધાને સદબુદ્ધિ આપે. આમીન.” પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાની કલાકારોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે ઓપરેશન સિંદૂર પછી આ કલાકારોએ ફરીથી ઝેર ઓકવાનું શરૂ કર્યું છે. ભારતીય નેટિઝન્સે પણ આ નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે “આ દેશભક્તિની સામે કાયરતાની ભાષા છે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)