Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા’ છોડીને માલવ રાજડા એ નવા શોની જાહેરાત કરી, ફરી એકવાર લોકોનું કરશે મનોરંજન

'તારક મહેતા' ના ડિરેક્ટર માલવ રાજડા સહિત 12 લોકો એ છોડી દીધો છે. આ સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા, પરંતુ માલવ રાજડા ફરી એકવાર નાના પડદે પરત ફરી રહ્યો છે.

'તારક મહેતા' છોડીને માલવ રાજડા એ નવા શોની જાહેરાત કરી, ફરી એકવાર લોકોનું કરશે મનોરંજન

News Continuous Bureau | Mumbai

સોની એન્ટરટેઈનમેન્ટ ચેનલ પર પ્રસારિત થતા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર દરેક ઘરમાં ફેમસ છે. જેઠાલાલ થી લઈને બાઘા સુધી, દર્શકો દરેક ના જીવન વિશે જાણવા માટે ઉત્સુક રહે છે. પરંતુ લાંબા સમયથી છેલ્લા 14 વર્ષથી જોડાયેલા પાત્રો અસિત મોદી નો આ શો છોડી રહ્યા છે. અત્યાર સુધીમાં 12 લોકો એ ‘તારક મહેતા’ છોડી દીધો છે, જેમાં તેના ડિરેક્ટર માલવ રાજડા પણ સામેલ છે. આ સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા, પરંતુ માલવ રાજડા ફરી એકવાર નાના પડદે પરત ફરી રહ્યો છે. જો કોઈ એવું વિચારતું હોય કે માલવે ફરી એકવાર ‘તારક મહેતા’નું નિર્દેશન કરવાનું મન બનાવી લીધું છે, તો તે બિલકુલ ખોટું છે. ખરેખર, માલવ રાજડા એક નવા શો સાથે, નવા સમયે અને નવી ચેનલ પર તમને હસાવવા માટે પાછા ફર્યા છે.

Join Our WhatsApp Channel

 

માલવ રાજડા એ નવા શોની જાહેરાત કરી

માલવ રાજડા એ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના નવા શોની જાહેરાત કરી છે. માલવ રાજડા ‘પ્રોફેસર પાંડે કે પાંચ પરિવાર’ નામના શો સાથે લોકોનું મનોરંજન કરવા પાછા ફર્યા છે. માલવે તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો એક પ્રોમો પણ શેર કર્યો છે, જેમાં સંદીપ આનંદ લીડ રોલમાં જોવા મળે છે. સામે આવેલા પ્રોમોમાં ગરીબ નંદુ પાંડે તેના પરિવારના કારણે પરેશાન જોવા મળે છે. તેમની હાલત જોઈને અનુમાન લગાવી શકાય છે કે શોની વાર્તા અને કોમેડી બંને ખૂબ જ રસપ્રદ બનવાના છે.

 

માલવ રાજડા એ કેમ છોડ્યો ‘તારક મહેતા’ શો?

માલવ રાજડા શરૂઆતથી જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નું દિગ્દર્શન કરી રહ્યા હતા, પરંતુ ગયા વર્ષે દિગ્દર્શકે શોને અલવિદા કહીને તેમજ તેના દર્શકોને ઊંડો આંચકો આપ્યો હતો. શો છોડવાની વાત કરતા માલવ રાજડા એ કહ્યું કે, ‘આ એક મુશ્કેલ નિર્ણય હતો પરંતુ મેં વિચારીને આ નિર્ણય લીધો છે. હું તે ઝોનમાં થોડો વધુ સ્થિર બની ગયો હતો. વધુ વિકાસ અને પ્રગતિ માટે આ નિર્ણય લીધો. હું મારું સર્વશ્રેષ્ઠ આપવા સક્ષમ ન હતો.

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version