News Continuous Bureau | Mumbai
Raj Kapoor: બોલિવૂડ ના શોમેન તરીકે જાણીતા રાજ કપૂર ની આજે 100 મી જન્મજયંતિ છે.આ અવસર પર સમગ્ર કપૂર પરિવાર ત્રણ દિવસ માટે રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. રાજ કપૂર પોતાના અંગત સંબંધોને કારણે ઘણા સમાચારોમાં રહ્યા હતા. રાજ કપૂર ની લવ લાઈફ હંમેશા ચર્ચા નો વિષય બની હતી. રાજ કપૂર નું નામ દિગ્ગ્જ અભિનેત્રી નરગીસ સાથે જોડવામાં આવ્યું હતું. નરગીસ અને રાજ કપૂરે લગભગ 16 ફિલ્મો માં એકસાથે કામ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Hina khan: ગુગલ પર સૌથી વધુ સર્ચ થવા છતાં હિના ખાન આ કારણે થઇ નારાજ, પોસ્ટ શેર કરી કહી દિલ ની વાત
રાજ કપૂર ની લવ લાઈફ
મીડિયા રિપોર્ટ મુજબ રાજ કપૂર અને નરગીસ ફિલ્મમાં એક્ટિંગ કરતી વખતે બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. જો કે તેઓ લગ્ન કરી ના શક્યા. નરગીસે 1958માં સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા, જેના પછી રાજ કપૂર ખૂબ જ દુ:ખી થઈ ગયા. આ વિશ્વાસઘાત બાદ રાજ કપૂર પોતાની જાતને કાબૂમાં રાખી શક્યા ન હતા. આ વાતનો ઉલ્લેખ મધુ જૈનના પુસ્તક ‘ધ કપૂર્સઃ ધ ફર્સ્ટ ફેમિલી ઓફ ઈન્ડિયન સિનેમા’માં કરવામાં આવ્યો છે. રાજ કપૂરના કહેવા પ્રમાણે, તેને નરગીસ દ્વારા પ્રેમમાં છેતરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, તે એટલો પરેશાન થઈ ગયો કે તે દારૂ પીતો, બાથરૂમમાં જઈને રડતો અને સિગારેટથી પોતાની જાતને પણ સળગાવી દેતો.
View this post on Instagram
આ પુસ્તક અનુસાર, રાજ કપૂરનો સાચો પ્રેમ નરગિસ હતો અને તે તેની સાથે લગ્ન કરવા માટે તેની પત્નીને છોડી દેવા તૈયાર હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ કપૂર પોતાની પત્ની કૃષ્ણા સાથે લગ્ન કર્યા બાદ વૈજયંતિ માલા સાથે પ્રેમમાં પડ્યા હતા. આ સંબંધના કારણે રાજ કપૂરની પત્નીએ ઘર છોડી દીધું હતું.નરગીસ અને વૈજયંતિ માલા ઉપરાંત રાજ કપૂર નું નામ પદ્મિની કોલ્હાપુરી સાથે પણ જોડાયું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)