News Continuous Bureau | Mumbai
Ram Gopal Varma : જાણીતા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા હાલમાં તેમની ફિલ્મ ‘સત્ય’ ની પુનઃપ્રદર્શનની ઉજવણી કરી રહ્યા છે. જોકે, હવે સાત વર્ષ જૂનો એક કેસ તેમના માટે સમસ્યા બની ગયો છે. રામ ગોપાલ વર્માને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ફિલ્મ નિર્માતાને 2018 ની એક ફિલ્મના ચેક બાઉન્સ કેસમાં સજા ફટકારવામાં આવી છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.
Ram Gopal Varma : રામ રૂપાલ વર્મા સુનાવણી દરમિયાન ન રહ્યા હાજર
પોતાના વિવાદાસ્પદ નિવેદનો ને કારણે અવાર નવાર ચર્ચામાં રહેતા રામ રૂપાલ વર્મા પર 2018 માં ‘શ્રી’ નામની કંપની દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ફિલ્મ નિર્માતાને 21 જાન્યુઆરીએ સુનાવણી માટે કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ સુનાવણી દરમિયાન હાજર થયા ન હતા. કોર્ટે વળતર તરીકે 3.72 લાખ રૂપિયા ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે તેમના પર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ આરોપ મૂક્યો છે. કોર્ટનો આ નિર્ણય તેમની નવી ફિલ્મ ‘સિન્ડિકેટ’ની જાહેરાતના એક દિવસ પહેલા આવ્યો છે.
Ram Gopal Varma : રામ ગોપાલ વર્માએ વળતર ચૂકવવું પડશે
આ કેસની સુનાવણી છેલ્લા સાત વર્ષથી ચાલી રહી હતી. અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે રામ ગોપાલ વર્મા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. કોર્ટે કહ્યું કે ચુકાદાના દિવસે આરોપીની ગેરહાજરીમાં, તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવે અને તેની સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી ધરપકડ કરવામાં આવે. આ ઉપરાંત, તેમણે ત્રણ મહિનાની અંદર ફરિયાદીને વળતર તરીકે 3 લાખ 72 હજાર રૂપિયા પણ ચૂકવવા પડશે.
આ સમાચાર પણ વાંચો : Saif Ali Khan stabbed : સૈફ અલી ખાન હુમલા કેસમાં પોલીસે બાંદ્રા તળાવમાં દોઢ કલાક કરી શોધખોળ, પોલીસના હાથ લાગ્યા આ મોટા પુરાવા..
Ram Gopal Varma : રામ ગોપાલ વર્માની આર્થિક સ્થિતિ નથી સારી
જો રામ ગોપાલ વર્મા ત્રણ મહિનાની અંદર આ વળતર ચૂકવી ન શકે તો તેમને જેલમાં જવું પડી શકે છે. શ્રીના માલિક મહેશચંદ્ર મિશ્રાએ ચેક બાઉન્સ થવાના મામલે આ કેસ દાખલ કર્યો હતો. આ મામલો રામ ગોપાલ વર્માની પેઢી સાથે સંબંધિત છે. આ કંપની હેઠળ તેમણે ‘સત્ય’, ‘રંગીલા’, ‘કંપની’, ‘સરકાર’ જેવી ફિલ્મો બનાવી. રામ ગોપાલ વર્માએ ઘણા સમયથી કોઈ ફિલ્મ બનાવી નથી. સમાચાર મુજબ, તેમની આર્થિક સ્થિતિ પણ સારી નથી.