News Continuous Bureau | Mumbai
Ramayan: વર્ષ 1987 માં આવેલી રામાનંદ સાગર ની રામાયણ આજે પણ દર્શકો માં પ્રિય છે. રામાયણ નું નામ લેતા જ રામાનંદ સાગર ની રામાયણ યાદ આવે છે. આ શો ના તમામ પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. તે પછી અરુણ ગોવિલ હોય દીપિકા ચીખલીયા હોય કે દારા સિંહ હોય આજે ય લોકો તેમને રામાયણ માં તેમના પાત્ર થી જ ઓળખે છે. હવે રામાયણ ના ચાહકો માટે સા સમાચાર છે. રામાયણ ફરી એક વખત ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Dunki: આંતરરાષ્ટ્રીય વાગ્યો ડંકી નો ડંકો, આ દેશની સંસદમાં બતાવાશે શાહરૂખ ખાનની ફિલ્મ
રામાયણ થશે ટીવી પર ટેલિકાસ્ટ
દૂરદર્શન પર રામાયણ ફરી એક વખત ટેલિકાસ્ટ થવાની છે. આ વાત ની માહિતી દૂરદર્શને તેમના સોશિયલ મીડિયા પર આપી છે. ચેનલે આ વાત ની સત્તાવાર રીતે જાહેરાત કરતા લખ્યું,’ધર્મ, પ્રેમ અને સમર્પણની અનોખી ગાથા… ફરી એકવાર સમગ્ર ભારતનો સૌથી લોકપ્રિય શો ‘રામાયણ’ આવી રહ્યો છે, જલ્દી જ જુઓ # DDNational પર .
धर्म, प्रेम, और समर्पण की अद्वितीय गाथा…एक बार फिर आ रहा है पूरे भारत का सबसे लोकप्रिय शो ‘रामायण’, जल्द देखिए #DDNational पर। #Ramayan | @arungovil12 | @ChikhliaDipika | @LahriSunil pic.twitter.com/zqOrwx2pOg
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) January 30, 2024
આ પોસ્ટ બાદ ચાહકો માં એક અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ શો ક્યારે ટેલિકાસ્ટ થશે તેની તારીખ જાહેર કરવામાં આવી નથી.રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકા માં અરુણ ગોવિલ, માતા સીતા ની ભૂમિકા માં દીપિકા ચીખલીયા, લક્ષ્મણ ની ભૂમિકામાં સુનિલ લહરી, હનુમાન ના રોલ માં દારા સિંહ અને રાવણ ના રોલ માં અરવિંદ ત્રિવેદી જેવા મહાન કલાકારો જોવા મળ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)