News Continuous Bureau | Mumbai
Ramayana: નિતેશ તિવારી એ જ્યારથી રામાયણ ની જાહેરાત કરી છે ત્યાર થી તે ચર્ચામાં છે. આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં અને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. હવે નવીનતમ અહેવાલ મુજબ નિતેશ તિવારી ની રામાયણ માં વધુ એક અભિનેતા ની એન્ટ્રી થઇ ગઈ છે. અને આ માહિતી તેને તેની રણબીર કપૂર સાથે ની તસવીરો પોસ્ટ કરીને આપી છે.
આ સમાચાર પણ વાંચો: Aishwarya rai and Abhishek bachchan: શું આ કારણે આવી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ના લગ્નજીવન માં ખટાશ?
રામાયણ માં થઇ અજિંક્ય દેવ ની એન્ટ્રી
અજિંક્યએ તેના સોશિયલ મીડિયા પર રણબીર સાથેની તસવીર શેર કરી અને લખ્યું, ‘તો હવે આ ફોટો પર સ્પષ્ટતા માટે… આરકે સાથે ફિલ્મ રામાયણમાં અદ્ભુત ભૂમિકા ભજવવા માટે ઉત્સાહિત છું. આ દોઢ વર્ષ માં માટે અદભુત રહ્યું મને મમ્મી નીતુ સિંહ કપૂર સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરવા મળી આ પછી, વેબ સિરીઝ માટે હું કરિશ્મા કપૂર સાથે છું અને હવે રણબીર કપૂર સાથે.’ જોકે આ પોસ્ટ તેના સોશિયલ મીડિયા પર થી ડીલીટ કરવામાં આવી છે.
View this post on Instagram
અજિંક્ય દેવ એ ફિલ્મમાં તેના પાત્ર વિશે કોઈ ખુલાસો કર્યો નથી.પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ અજિંક્ય ફિલ્મ રામાયણ માં વિશ્વામિત્ર ના પાત્ર માં જોવા મળશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)