News Continuous Bureau | Mumbai
Ramayana update: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી તે ચર્ચામાં છે. નિતેશ તિવારી ની ફિલ્મ તેની સ્ટારકાસ્ટ ને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં ભગવાન રામની માતા કૌશલ્યા નું પાત્ર ભજવતી અભિનેત્રી ઈન્દિરા કૃષ્ણ એ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. એટલું જ નહીં, દરમિયાન કૌશલ્યા નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી ઇન્દિરા કૃષ્ણ એ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને ખુલાસો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mirzapur the film: મિર્ઝાપુર ના ફેન્સ માટે સારા સમાચાર, ઓટિટિ પર ધૂમ મચાવ્યા બાદ હવે થિયેટરો માં ધમાકો કરશે પંકજ ત્રિપાઠી
રામાયણ ની સ્ટારકાસ્ટ ને લઈને થયો ખુલાસો
મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રી ઇન્દિરા એ જણાવ્યું કે, “હું રામાયણ નામની ફિલ્મ કરી રહી છું, જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણબીર ભગવાન રામનો રોલ કરી રહ્યો છે અને હું તેની માતા કૌશલ્યા નો રોલ કરી રહી છું. આ ફિલ્મમાં રવિ દુબે પણ છે. તે લક્ષ્મણનું પાત્ર ભજવી રહ્યો છે.રામાનંદ સાગરની ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલને આ ફિલ્મમાં દશરથનો રોલ મળ્યો છે. તે ખરેખર દશરથ જેવો દેખાય છે, જેમ તે તે સમયે રામ જેવો દેખાતો હતો.”
Interviewer didn’t ask anything about Ranbir Kapoor or Ramayana but the way Indira Krishnan started praising him ❤️#RanbirKapoor #Ramayana
pic.twitter.com/uTdGrWAiuF— VarunRK 💫 (@Varun_RK88) October 29, 2024
આ દરમિયાન ઇન્દિરા એ રણબીર કપૂર ના વખાણ કરતા જણાવ્યું કે, “ભગવાન રામનું પાત્ર જો કોઈએ ખૂબ જ સુંદર રીતે ભજવ્યું હોય તો તે રણબીર કપૂર છે. રણબીર તેની ભૂમિકા ભજવતી વખતે પોતાને પડકારે છે. તે તેના દરેક સીન પર કામ કરે છે અને તેના કો-સ્ટાર્સને પણ યોગ્ય સંકેત આપે છે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)