Ranbir Kapoor Vastu Apartment Rent| રણબીર કપૂરે ભાડે આપ્યું ‘વાસ્તુ’ એપાર્ટમેન્ટ, જ્યાં આલિયા ભટ્ટ સાથે કર્યા હતા લગ્ન; દર મહિને મળશે આટલું મોટું ભાડું

Ranbir Kapoor Vastu Apartment Rent| મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલા રણબીરના ૨,૪૬૦ ચોરસ ફૂટના આ લક્ઝરી ઘરની ડીલ ૫ વર્ષ માટે ફાઇનલ થઈ છે, જેના માટે ૪૫ લાખ ડિપોઝિટ ચૂકવાઈ છે.

by Zalak Parikh
Ranbir Kapoor Vastu Apartment Rent|  રણબીર કપૂરે ભાડે આપ્યું 'વાસ્તુ' એપાર્ટમેન્ટ, જ્યાં આલિયા ભટ્ટ સાથે કર્યા હતા લગ્ન; દર મહિને મળશે આટલું મોટું ભાડું

 

News Continuous Bureau | Mumbai

Ranbir Kapoor Vastu Apartment Rent| બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પાલી હિલ (Pali Hill) સ્થિત ફેમસ એપાર્ટમેન્ટ ‘વાસ્તુ’ (Vastu) ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રણબીર કપૂરે પોતાના આ આલીશાન એપાર્ટમેન્ટને ભારે મોંઘા ભાવે ભાડે આપી દીધું છે. ખાસ વાત એ છે કે, આ એ જ લક્ઝરી એપાર્ટમેન્ટ છે જ્યાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે વર્ષ ૨૦૨૨ માં અત્યંત સાદગીપૂર્વક સાત ફેરા લીધા હતા. આ ઘર સાથે કપૂર પરિવારની ઘણી યાદો જોડાયેલી છે, પરંતુ હવે તેઓ પોતાના નવા આશિયાનામાં શિફ્ટ થઈ ગયા હોવાથી રણબીરે આ પ્રોપર્ટી ભાડે આપીને એક મોટી બિઝનેસ ડીલ કન્ફર્મ કરી છે.

દર મહિને ૧૧ લાખનું ભાડું અને ૪૫ લાખની સિક્યોરિટી ડિપોઝિટ

મીડિયા અહેવાલો અને રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, રણબીર કપૂરના આ એપાર્ટમેન્ટનું માસિક ભાડું ૧૧ લાખ નક્કી કરવામાં આવ્યું છે. આ ડીલ આગામી ૫ વર્ષ માટે પાકી કરવામાં આવી છે અને ૧૯ મે ૨૦૨૬ ના રોજ આ લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ સત્તાવાર રીતે રજિસ્ટર્ડ થયો છે. રણબીરનું આ એપાર્ટમેન્ટ ‘વાસ્તુ’ બિલ્ડિંગના સાતમા માળે આવેલું છે, જેને આદિત્ય શુક્લા નામના વ્યક્તિએ ભાડે રાખ્યું છે. આ મોંઘી ડીલ અંતર્ગત ૪૫ લાખની સિક્યોરિટી ડિપોઝિટ લેવામાં આવી છે અને દર વર્ષે ભાડામાં ૫ ટકાનો વધારો કરવાનો ક્લોઝ (નિયમ) પણ કરારમાં સામેલ કરાયો છે.

૨૦૧૬ માં ૩૫ કરોડમાં ખરીદ્યું હતું ઘર, ગૌરી ખાને કર્યું હતું ડિઝાઇન

આશરે ૨,૪૬૦ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ આલીશાન એપાર્ટમેન્ટને રણબીર કપૂરે વર્ષ ૨૦૧૬ માં આશરે ૩૫ કરોડની માતબર કિંમતે ખરીદ્યું હતું. બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની પત્ની અને પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાને આ ઘરના ઇન્ટિરિયરને ખાસ ડિઝાઇન કર્યું હતું. રણબીર અને આલિયાએ ૧૪ એપ્રિલ ૨૦૨૨ ના રોજ આ જ ઘરમાં નજીકના સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા. જો કે, હવે આ સ્ટાર કપલ પોતાના પુસ્તૈની અને અત્યંત ભવ્ય બંગલા ‘કૃષ્ણા રાજ’ માં (Krishna Raj Bungalow) શિફ્ટ થઈ ગયું છે. રણબીરે આ આઠ માળના પુસ્તૈની બંગલાને સંપૂર્ણ રિનોવેટ કરાવ્યો છે, જેની હાલની બજાર કિંમત ૨૫૦ કરોડથી વધુ હોવાનું કહેવાય છે. આ બંગલામાં રણબીરના સ્વર્ગસ્થ પિતા ઋષિ કપૂરની યાદમાં એક આખો રૂમ ડેડિકેટ કરવામાં આવ્યો છે.

૪,૦૦૦ કરોડના બજેટ વાળી ફિલ્મ ‘રામાયણ’ ની તૈયારીમાં વ્યસ્ત છે રણબીર

રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે હાલમાં ડાયરેક્ટર નિતેશ તિવારીની આગામી મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ ને (Ramayana) લઈને ભારે ચર્ચામાં છે. આશરે ૪,૦૦૦ કરોડના જંગી બજેટ સાથે બની રહેલી આ પૌરાણિક ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે સાઉથની સુપરસ્ટાર સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં, સની દેઓલ ભગવાન હનુમાનના રોલમાં અને રવિ દુબે લક્ષ્મણના મહત્વના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની શૂટિંગ જોરશોરથી ચાલી રહી છે અને રણબીરે થોડા સમય પહેલાં જ અયોધ્યામાં પણ કરોડો રૂપિયાની જમીન ખરીદી હોવાના અહેવાલો વહેતા થયા હતા.

👉 આ સમાચાર વાચો:
Hamza Burhan Shot Dead PoK। આતંકી નેટવર્કને મોટો ફટકો પુલવામા ગ્રેનેડ હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન PoK માં ઠાર, અજ્ઞાત લોકોએ મારી ગોળી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More