18 વર્ષ પછી રણવિજય સિંહનો રોડીઝ સાથેનો સંબંધ તૂટ્યો ,બોલિવૂડ નો આ અભિનેતા શોને કરશે હોસ્ટ; જાણો વિગત 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022          
શુક્રવાર
રોડીઝના ફેવરિટ જજ રણવિજય સિંહે 18 વર્ષ બાદ શો છોડી દીધો છે. આ શોની 19મી સીઝનમાં તે જોવા નહીં મળે. રણવિજય વર્ષ 2003માં ટીવી શો રોડીઝમાં સ્પર્ધક તરીકે જોડાયો હતો. ત્યારથી તે આ શોને હોસ્ટ કરી રહ્યો છે. રોડીઝના દર્શકો અને રણવિજય સિંહના ચાહકો માટે આ કોઈ મોટા આંચકાથી ઓછું નથી.તે જ સમયે, આ સમાચાર સોનુ સૂદના ચાહકો માટે સારા સમાચાર સમાન હશે. એમટીવી પર પ્રસારિત થનારી રોડીઝની 19મી સીઝનમાં સોનુ સૂદ રણવિજયનું સ્થાન લેશે.એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, શોમાં રણવિજય સિંહની જગ્યાએ સોનુ સૂદને લેવામાં આવી શકે છે. આ શોને હોસ્ટ કરવા ઉપરાંત તે મેન્ટર પણ હશે. શોના નિર્માતાઓએ ગેંગ લીડરનો કોન્સેપ્ટ હટાવી દીધો છે. તેની પાછળનું કારણ એ છે કે પ્રિન્સ નરુલા, નેહા ધૂપિયા અને અન્ય મેન્ટોર એ શો છોડી દીધો છે.

જોકે, સોનુ સૂદે આ સમાચારની પુષ્ટિ કરી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શોનું શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં થવાનું છે. જ્યાં તે આ શોને હોસ્ટ કરશે.તે જ સમયે, રણવિજય સિંહે એક ઇન્ટરવ્યુ દરમિયાન પુષ્ટિ કરી છે કે તે રોડીઝની આગામી સિઝનનો ભાગ નથી. આગામી સિઝન વિશે વાત કરતાં તેણે કહ્યું કે ચેનલ તેની સફરમાં તેના માટે મજબૂત સ્તંભની જેમ ઉભી છે.તેણે વધુમાં ઉમેર્યું હતું કે તે ચેનલ સાથે રસપ્રદ કામ કરવાનું ચાલુ રાખશે. હાલમાં, રોડીઝની આ સિઝન માટે બંને બાજુથી વસ્તુઓ નક્કી કરવામાં આવી નથી. જણાવી દઈએ કે રણવિજય સિંહ આ દિવસોમાં રિયાલિટી શો 'શાર્ક ટેન્ક ઈન્ડિયા' હોસ્ટ કરી રહ્યા છે.

'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના સ્ટાર્સ પર કોરોના ગ્રહણ, શબાના આઝમી પછી આ અભિનેત્રી બની કોરોના પોઝિટિવ ; જાણો વિગત 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More