News Continuous Bureau | Mumbai
Ratan tata death: રતન ટાટાના નિધન થી દેશભર માં શોક ની લહેર છે.દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા એ ઉંમર સંબંધિત બીમારીને કારણે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષ ની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ ના નિધન પર બોલિવૂડ સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે
આ સમાચાર પણ વાંચો : Sanjay Leela Bhansali: શું ફિલ્મ સંગમ ની રીમેક છે રણબીર, આલિયા અને વિકી ની ફિલ્મ લવ એન્ડ વોર? સંજય લીલા ભણસાલી એ કર્યો મોટો ખુલાસો
બોલિવૂડ સ્ટાર્સે આપી રતન ટાટા ને શ્રદ્ધાંજલિ
અજય દેવગને તેના સોશિયલ મીડિયા પર લખ્યું, ‘દુનિયા એક દૂરદર્શી વ્યક્તિ ના નિધનથી શોકમાં છે. રતન ટાટાનો વારસો હંમેશા પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. ભારતમાં અને ભારત ની બહાર તેમનું યોગદાન અજોડ છે. અમે તેમના ખૂબ આભારી છીએ.’ સુષ્મિતા સેને તેની ઇન્સ્ટા સ્ટોરી માં લખ્યું, ‘તે કેટલા આદરણીય વ્યક્તિ હતા ઈશ્વર તેમની આત્મા ને શાંતિ આપે.’સંજય દત્તે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, ‘ભારતે આજે એક સાચા દૂરદર્શી ગુમાવ્યા, તે ઈમાનદારી અને કરુણાના મૂર્ત સ્વરૂપ હતા, જેમના યોગદાનથી બિઝનેસ ઉપરાંત અસંખ્ય જીવન સુધી હતું તેમની આત્માને શાંતિ મળે.’
View this post on Instagram
આ સિવાય રણદીપ હુડા, શર્વરી વાઘ, રોહિત શેટ્ટી, કરણ જોહર, અનન્યા પાંડે, પ્રિયંકા ચોપરા જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ એ રતન ટાટા ને શ્રદ્ધાંજલિ આપી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)