News Continuous Bureau | Mumbai
રોહિતાશ ની ગણતરી ટીવી ના શ્રેષ્ઠ કલાકારોમાં થાય છે. પોતાની જોરદાર એક્ટિંગ અને શાનદાર કોમિક ટાઈમિંગના કારણે તેણે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તેમના દ્વારા ભજવવામાં આવેલ પાત્ર ‘તિવારી જી’ આજે પણ લોકોના મનમાં વસેલું છે. અભિનેતાના જન્મદિવસ પર અમે તેમની વાસ્તવિક જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
આ સિરિયલ થી મળી ઓળખ
રોહિતાશનો જન્મ વર્ષ 1966માં કાલકા માં થયો હતો. અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ટ્રેનિંગ લીધી હતી.શરૂઆત માં તેઓ કેટલીક ફિલ્મો માં નાની ભૂમિકામાં જોવા મળ્યા હતા.જો કે રોહિતાશ બોલિવૂડમાં ઘણા સમયથી એક્ટિવ છે, પરંતુ ટીવીએ તેને અસલી ઓળખ આપી. તેની કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સીરીયલ ‘લાપતાગંજ’ કહી શકાય. આ સિરિયલમાં તેનો અભિનય એટલો પસંદ કરવામાં આવ્યો હતો કે તેણે તેના માટે ત્રણ એવોર્ડ જીત્યા હતા. આ શો પછી તે ‘ભાભી જી ઘર પર હૈં’માં જોવા મળ્યા. શોમાં મનમોહન તિવારીના પાત્રથી આજે તેઓ ઘર-ઘરમાં લોકપ્રિય બની ગયા.
પત્ની સાથે રોમેન્ટિક પળ વિતાવવા કરે છે આ કામ
રોહિતાશ ના અંગત જીવનની વાત કરીએ તો તે એક સીધા-સાદા વ્યક્તિ છે. તેમની પત્નીનું નામ રેખા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની પત્ની કેન્સર રિસર્ચમાં કામ કરે છે. રોહિતાશ વાસ્તવિક જીવનમાં ખૂબ જ રોમેન્ટિક છે. જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે તેની પત્નીને રસોડામાં મદદ કરે છે. અભિનેતાના એક નિવેદનમાં તેમના રોમાંસની ઝલક પણ જોવા મળે છે. એકવાર તેણે કહ્યું, “હું રેખા ને રસોઈ બનાવવામાં મદદ કરું છું. આ એક અઘરું કામ છે, પરંતુ આમ કરવાથી મને તેની સાથે સમય વિતાવવાની તક મળે છે, જે મારા વ્યસ્ત શેડ્યૂલને કારણે મને ઘણી વાર નથી મળતી.”