News Continuous Bureau | Mumbai
Saif ali khan attack case: સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે અત્યારસુધી 50 થી પણ વધુ લોકો ની પુછપરછ થઇ ચુકી છે હવે મુંબઈ પોલીસે અભિનેતા ના ઘર માં ફર્નિચર નું કામ કરનાર વ્યક્તિ ને બોલાવ્યો છે. જ્યારે મીડિયાએ તે સુથારના પુત્રને આ વિશે પૂછ્યું, જેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, ત્યારે તેણે કહ્યું કે તેના પિતાએ એક દિવસ પહેલા જ અભિનેતાના ઘરે ફર્નિચરનું કામ કર્યું હતું.ત્યારબાદ સુથાર ની પત્ની એ પણ તે હુમલાખોર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Rupali ganguly: રૂપાલી ગાંગુલી વિરુદ્ધ હવે કઈ પણ કરવું સાવકી દીકરી ઈશા ને પડશે ભારે, અનુપમા ના માનહાનિ કેસમાં બોમ્બે હાઈકોર્ટે આપ્યો આવો ચુકાદો
સૈફ પર હુમલો કરનાર વ્યક્તિ પર ગુસ્સે થઇ સુથાર ની પત્ની
સૈફ અલી ખાન ના ઘર માં ફર્નિચર નું કામ કરનાર વ્યક્તિ ને પોલીસે પુછપરછ માટે બોલાવ્યો હતો આ દરમિયાન પાપારાઝી સાથે વાત કરતા તે સુથાર ના દીકરા એ કહ્યું, “અમે ફર્નિચરના વ્યવસાયમાં કામ કરીએ છીએ. અમે એક દિવસ પહેલા કામ કર્યું હતું અને પછી આ ઘટના રાત્રે બની હતી, ત્યારબાદ મારા પિતાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.”
View this post on Instagram
ત્યારબાદ સુથાર ની પત્ની ને પૂછવામાં આવ્યું કે શું તે કસ્ટડીમાં લેવાયેલા છોકરાને ઓળખે છે, ત્યારે તેણીએ ગુસ્સામાં જવાબ આપ્યો, “ના, ના, અમને ખબર નથી કે છોકરો કોણ છે કોણ નહીં. જો મને તે મળી જાય તો, હું તેને મારા ચંપલથી એટલો જોરથી ફટકારીશ કે તેનું માથું રસ્તાની વચ્ચે જ કપાઈ જાય.” જ્યારે મહિલાને અહીં આવવાનું કારણ પુછવામા આવ્યું તો તેને કહ્યું કે મારા માણસ(પતિ) ને અહીં બોલાવવામા આવ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)