Saif ali khan attack : અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો, શરૂ થઈ ગયું રાજકારણ… વિપક્ષે મહાયુતિ સરકાર પર સાધ્યું નિશાન..

Saif ali khan attack : આ મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા કેટલી કથળી રહી છે તેનો સંકેત છે. તેથી, મુખ્યમંત્રીએ આ બધી બાબતો પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે ગૃહ મંત્રાલય તેમની પાસે જ છે, એમ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ ચંદ્ર પવારે જણાવ્યું હતું. મુંબઈ

by kalpana Verat
Saif ali khan attack opposition parties attack on mahayuti on Saif Ali Khan Attack

News Continuous Bureau | Mumbai

Saif ali khan attack : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાને લઈને હવે રાજકારણ શરૂ થઈ ગયું છે.  વિપક્ષી પાર્ટીઓએ મહાગઠબંધન સરકાર પર પ્રહારો કર્યા છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના નેતા અને સાંસદ સંજય રાઉતે ટીકા કરી હતી કે બીડથી મુંબઈ સુધી ક્યાંય કાયદો અને વ્યવસ્થા નથી. દરમિયાન આ ઘટના પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે પણ પ્રતિક્રિયા આપી છે. શરદ પવારે સીધા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે.

Saif ali khan attack : મુંબઈમાં આ બીજી ઘટના

શરદ પવારે કહ્યું ખરાબ વાત એ છે કે મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા કેટલી કથળી ગઈ છે તેનો સંકેત છે. અગાઉ આ જ વિસ્તારમાં એક હત્યા થઈ હતી. અને હવે આ બીજી ઘટના છે. આ બધી બાબતો ચિંતાજનક છે. રાજ્ય સરકાર, ખાસ કરીને મુખ્યમંત્રી, કારણ કે તેમની પાસે ગૃહ મંત્રાલય છે. શરદ પવારે કહ્યું કે તેમણે આ બાબતને વધુ ગંભીરતાથી જોવી જોઈએ.

 Saif ali khan attack : કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે ઉઠાવ્યો 

જ્યાં જનપ્રતિનિધિઓ સુરક્ષિત નથી, જ્યાં ઉચ્ચ કક્ષાના વ્યક્તિઓ સુરક્ષિત નથી, ત્યાં તમે સામાન્ય માણસ પાસેથી શું અપેક્ષા રાખો છો? મહારાષ્ટ્રમાં ફેલાયેલા ગુનાખોરી માટે કોણ જવાબદાર છે? શું મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાને પૂછવું ન જોઈએ કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતે બગડી રહી છે? આ પ્રશ્ન કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે ઉઠાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Actor Saif Ali khan Attack : શું હુમલાખોર સૈફ અલી ખાનના ઘરમાં છુપાયેલો હતો? જાણો સીસીટીવી ફૂટેજમાં શું દેખાયું? પોલીસને આ વ્યક્તિ પર છે શક..

Saif ali khan attack : પદ્મશ્રી વિજેતા અભિનેતા પર છરીથી હુમલો ખૂબ જ ભયાનક અને આઘાતજનક ઘટના

પદ્મશ્રી અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો ખૂબ જ ભયાનક અને આઘાતજનક ઘટના છે. મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા દિવસેને દિવસે કથળી રહી છે. બાંદ્રા જેવા વિસ્તારમાં, એક જનપ્રતિનિધિની ગોળી મારીને હત્યા કરવામાં આવે છે, એક અભિનેતાના ઘરની બહાર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવે છે, અને હવે અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને છરીથી હુમલો કરવામાં આવે છે. વર્ષા ગાયકવાડે ટીકા કરી હતી કે મુંબઈ આટલો ખુલ્લો આતંક જોવા માટે ટેવાયેલું નથી.

 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More