News Continuous Bureau | Mumbai
salman khan: રવિવારે વહેલી સવારે સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર બે હુમલાખોરો એ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર માં એક ગોળી સલમાન ખાન ના ઘર ની બાલ્કની જ્યાં તે તેના ફેન્સ ને મળવા આવતો હોય છે ત્યાં પણ વાગી હતી. સલમાન ખાનના ઘર પર થયેલા ગોળીબાર ની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસથી લઈને એટીએસ સુધીની તમામ મોટી તપાસ એજન્સીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તેમજ હુમલાખોરો ના ચહેરા પણ સામે આવી ગયા છે. હવે આ સમગ્ર મામલે સલમાન ખાનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
આ સમાચાર પણ વાંચો : Salman Khan House Firing: સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર, બાઇક પર બે શૂટર્સ આવ્યા, પોલીસે સુરક્ષા વધારી…
સલમાન ખાન ની પ્રતિક્રિયા
મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન અને તેના પરિવારના એક નજીકના મિત્રએ ઘટના પછી સલમાનની સ્થિતિ વિશે માહિતી આપી છે. નજીક ના મિત્ર એ જણાવ્યું કે- “આ ફાયરિંગ વિશે ભાઈ કહે છે કે તેને પોતાના જીવનની ચિંતા નથી, પરંતુ તે તેના પરિવારની વધુ ચિંતા કરે છે. તે પરિવાર ને લઈને ખૂબ જ ડરે છે. સલીમ અંકલે હવે સલમાન ખાનને ઘરેથી દૂર ક્યાંક બીજે રહેવાની સલાહ આપી છે.
View this post on Instagram
મિત્રએ વધુ માં જણાવ્યું કે “સલમાન ખાનનો પરિવાર પણ ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ જેવો છે, અહીં બધા એકબીજાનું ધ્યાન રાખે છે. બહાર સલીમ અંકલ ખૂબ જ શાંત અને મસ્ત રહે છે પરંતુ આખો પરિવાર જાણે છે કે તેમના પુત્ર સલમાન ને મળેલી ધમકીથી તેઓ કેટલા ડરી ગયા છે. સલમાનને લાગે છે કે તે ધમકી પર જેટલું ધ્યાન આપશે તેટલું જ અન્ય વ્યક્તિને લાગશે કે તે ડરી ગયો છે. સલમાન નસીબમાં વિશ્વાસ રાખે છે અને માને છે કે જે થવાનું છે તે થશે ત્યારે થશે.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)