News Continuous Bureau | Mumbai
Salman Khan: સલમાન ખાન એ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેના ગેલેક્સી એપાર્ટમેન્ટ ની બાલ્કનીમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવવાનું કારણ કોઈ ધમકી નહીં, પણ તેના ઘરની સુરક્ષા છે. એક ઇન્ટરવ્યુમાં સલમાને જણાવ્યું કે લોકો તેના ઘરની બાલ્કની સુધી પહોંચી જતા અને ત્યાં જ ઊંઘી જતા હતા. આથી તેણે પરિવારની સુરક્ષા માટે બાલ્કની ને કવર કરવાનો નિર્ણય લીધો.
આ સમાચાર પણ વાંચો : Two Much: કરણ જોહર ને ટક્કર આપવા આવી રહી છે કાજોલ અને ટ્વિંકલ ખન્ના, જાણો શું હશે પ્રાઈમ વિડીયો ના આ શો ની ખાસિયત
સલમાને કહ્યું – “લોકો ત્યાં ઊંઘતા હતા”
સલમાને એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે “હું લોકોને ત્યાં ઊંઘતા જોતો હતો.” તેઓએ કહ્યું કે આ સ્થિતિ તેમના પરિવાર માટે જોખમભરી બની રહી હતી, તેથી તેણે બાલ્કનીને સુરક્ષિત બનાવવાનો નિર્ણય લીધો. આ નિર્ણય માત્ર સલમાન માટે નહીં, પણ તેમના પરિવાર માટે પણ મહત્વપૂર્ણ છે.
View this post on Instagram
ગત વર્ષે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબારી ની ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષા વધારવામાં આવી હતી. ત્યારથી તેના ઘરની આસપાસ પોલીસ સુરક્ષા પણ તૈનાત છે. જોકે, બાલ્કનીમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવવાનું કારણ ધમકી નહીં, પણ લોકોની અણધારી હરકતો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)