News Continuous Bureau | Mumbai
Samay raina: સમય રૈના તેના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના વિવાદ ને લઈને ચર્ચામાં છે.રણવીર અલ્લાહબાદીયા એ તેના શો માં કરેલી અભદ્ર ટિપ્પણી ને કારણે સમય ને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં સમય રૈના અનફિલ્ટર્ડ ટૂર માટે કેનેડાનો પ્રવાસ કરી રહ્યો છે. શો દરમિયાન તે તેના શો વિશે વાત કરતા ભાવુક થઇ ગયો હતો.અને તેને તેના ચાહકો નો આભાર પણ માન્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Chhaava box office collection: મન્ડે ટેસ્ટમાં ફેલ થઈ છાવા, 11 માં વિકી કૌશલ ની ફિલ્મ ને લાગ્યો મોટો ઝટકો, જાણો ફિલ્મ ના કુલ કલેક્શન વિશે
સમય રૈના એ માન્યો ચાહકો નો આભાર
સમય રૈનાએ પોતાના શોના અંતે કહ્યું, ‘જતા પહેલા, હું એક-બે વાત કહેવા માંગુ છું. સૌ પ્રથમ, આજે રાત્રે આવવા બદલ તમારો ખુબ ખુબ આભાર. ભાઈ, હું તમને કહેવા માંગુ છું કે હું અત્યારે ખૂબ જ પરેશાન છું.’ સમય ની આ વાત સાંભળ્યા બાદ તેના ચાહકોએ તેને ઉત્સાહિત કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે તે તેને ખૂબ પ્રેમ કરે છે. આવી સ્થિતિમાં સમય ભાવુક બની ગયો. સમયે તેના ચાહકોને કહ્યું, ‘આ મુશ્કેલ સમયમાં તેને સાથ આપવા બદલ આભાર.’
Samay Finally reacted to Latent Controversy in his show🥺🥺
#indiagotlatent #samayraina pic.twitter.com/9lWAgbK3rw— fatBatman (@followkarbkl) February 25, 2025
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સાયબર સેલ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદની તપાસ કરી રહ્યું છે.આ માટે રણવીર અલ્લાહબાદીયા અને આશિષ ચંચલાની એ તેમના નિવેદનો પણ નોંધાવ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
