Sanchita Ugale Funeral Update “મારી દીકરી પાછી આવી જા…” સંચિતા ઉગલેના અંતિમ સંસ્કાર વખતે માતાની કરૂણ વિલાપ જોઈને ફેન્સની આંખો થઈ ભીની

Sanchita Ugale Funeral Update માત્ર ૨૨ વર્ષની ઉંમરે અભિનેત્રીએ નાલાસોપારાના ઘરમાં લીધા અંતિમ શ્વાસ, સુશાંત સિંહ રાજપૂતના કેસ સાથે કનેક્શન હોવાનો પિતરાઈ ભાઈનો મોટો આરો

by kalpana Verat
Sanchita Ugale Funeral Update  "મારી દીકરી પાછી આવી જા..." સંચિતા ઉગલેના અંતિમ સંસ્કાર વખતે માતાની કરૂણ વિલાપ જોઈને ફેન્સની આંખો થઈ ભીની

 

News Continuous Bureau | Mumbai

Sanchita Ugale Funeral Update લોકપ્રિય ટીવી સીરિયલ ‘દિલવાલી દુલ્હનિયા લે જાયેંગે’ થી ઘરઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી સંચિતા ઉગલેના અકાળ અવસાનથી મનોરંજન જગત સ્તબ્ધ છે. માત્ર ૨૨ વર્ષની નાની ઉંમરે જિંદગી ટૂંકાવી લેનારી સંચિતાના અંતિમ સંસ્કાર વખતે તેની માતાની હૃદયદ્રાવક અને આક્રંદભરી સ્થિતિ જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ અંતિમ વિદાયનો એક અત્યંત ભાવુક વિડીયો સામે આવ્યો છે.

Sanchita Ugale Funeral Update – ‘તેં આવું કેમ કર્યું?’ પાર્થિવ દેહ સામે માતાની કરુણ વિનંતીથી લોકો ધ્રુજી ઉઠ્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સંચિતાની માતા પોતાની વ્હાલસોયી દીકરીના પાર્થિવ દેહ પાસે બેસીને ધ્રુસકે-ધ્રુસકે રડી રહી છે અને વ્યાકુળ થઈને કહી રહી છે કે, “સંચુ એ સંચુ ઉભી થા ને… તું મને એકવાર આઈ (માતા) કહે ને.. એ બબડ્યા.. તેં અમારી સાથે આવું કેમ કર્યું?” માતાનો આ કાળજું કંપાવી દેનારો આક્રંદ સાંભળીને અંતિમ યાત્રામાં આવેલા સગા-સંબંધીઓ અને ચાહકો પણ પોતાના આંસુ રોકી શક્યા નહોતા. નાલાસોપારા સ્થિત આચોળે વિસ્તારના સાઈ સંતોષી એપાર્ટમેન્ટમાં પોતાના બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સંચિતાએ પંખા સાથે સાડીનો ફંદો લગાવી આત્મહત્યા કરી હતી. કોઈ સુસાઈડ નોટ ન મળતાં પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ વાઘના નેતૃત્વમાં તપાસ ચાલી રહી છે.

Sanchita Ugale Funeral Update – પિતરાઈ ભાઈ આકાશ ઉગલેનો સનસનાટીપૂર્ણ ખુલાસો, સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડ્યું કનેક્શન

સંચિતાના આત્મહત્યાના મામલામાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. સંચિતાના પિતરાઈ ભાઈ આકાશ ઉગલેએ તેની બહેનના મોત પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. આકાશે જણાવ્યું કે, બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની તારીખ પણ ૧૪ જૂન હતી અને તેની બહેને પણ ૧૪ જૂને જ જીવ આપ્યો છે. આકાશે આરોપ લગાવ્યો છે કે તેને ઇન્સ્ટાગ્રામ પર એક શંકાસ્પદ નવું આઈડી મળ્યું છે, જેના પર ‘ઇટ્સ અગેન ૧૪ જૂન’ (It’s Again 14 June) લખેલું છે. આ આઈડી તાજેતરમાં જ બનાવવામાં આવ્યું છે અને સંચિતા પોતાનું જીવન સમાપ્ત કરતાં પહેલાં કોઈ અજાણ્યા ડરના કારણે ભારે ગભરાયેલી હતી.

Sanchita Ugale Funeral Update – ‘કુમકુમ ભાગ્ય’ માં દીયા ટંડનના પાત્રથી મેળવી હતી લોકપ્રિયતા, ૨૨ વર્ષની ઉંમરે સફર પૂરી

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના મીડિયા અહેવાલોમાં સંચિતાની ઉંમર ૩૦ વર્ષ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ તેના પરિવાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તે માત્ર ૨૨ વર્ષની જ હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં તેણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં મોટી સફળતા મેળવી હતી. ઝી ટીવીના પ્રખ્યાત શો ‘કુમકુમ ભાગ્ય’ માં તેની ‘દીયા ટંડન’ ની ભૂમિકા સવિશેષ લોકપ્રિય બની હતી. આ ઉપરાંત ‘વાગલે કી દુનિયા’, ‘દિલવાલી દુલ્હનિયા લે જાયેંગે’ જેવી સીરિયલો અને વિક્કી કૌશલની સુપરહિટ હિસ્ટોરિકલ ફિલ્મ ‘છાવા’ માં તારાબાઈના પાત્ર દ્વારા તેણે પોતાની મજબૂત એક્ટિંગની છાપ છોડી હતી. આવી હોંહાર અભિનેત્રીના આકસ્મિક વિદાયથી આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Water Cut Update જોજો પાણી વેડફાય નહીં! મુંબઈમાં પાણી કાપને લઈને મહાનગરપાલિકા લેવા જઈ રહી છે મોટો નિર્ણય, આવતા અઠવાડિયાથી જ બદલાશે સ્થિતિ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More