News Continuous Bureau | Mumbai
Sanjay Dutt: બોલીવૂડ એક્ટર સંજય દત્તે તાજેતરમાં એક પોડકાસ્ટમાં એક અનોખી ઘટના અંગે ખુલાસો કર્યો છે. 2018માં તેની એક મહિલા ફેન નિશા પાટીલ, જેઓ મુંબઇની રહેવાસી અને ટર્મિનલ બીમારીથી પીડિત હતી, તેણે મૃત્યુ પહેલા સંજય દત્તના નામે 72 કરોડની સંપત્તિ છોડી હતી.આ સમાચાર ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે દત્તે મીડિયા સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી.
આ સમાચાર પણ વાંચો : Adult Content Platforms: પોર્નોગ્રાફિક કન્ટેન્ટ સામે સરકારે કરી મોટી કાર્યવાહી, ઉલ્લુ, અલ્ટ બાલાજી સહિત આટલા OTT પ્લેટફોર્મ પર મુક્યો પ્રતિબંધ
સંપત્તિ સ્વીકારવાને બદલે પરત કરી
પોડકાસ્ટ દરમિયાન જ્યારે સંજય દત્તને પૂછવામાં આવ્યું કે તેમણે આ સંપત્તિ નું શું કર્યું, ત્યારે તેણે કહ્યું: “મેં તે તેના પરિવારને પરત કરી.” દત્તે વધુ વિગતો આપ્યા વગર માત્ર એટલું જ જણાવ્યું કે તેણે આ વારસો સ્વીકાર્યો નહીં, પરંતુ જવાબદારીપૂર્વક તેના પરિવારને પરત કર્યો.
View this post on Instagram
રિપોર્ટ મુજબ નિશા પાટીલ સંજય દત્તની લાંબા સમયથી પ્રશંસક હતી. તેના જીવનના અંતિમ તબક્કામાં તેણે પોતાની સંપત્તિ દત્તના નામે કરી હતી. આ ઘટના દર્શાવે છે કે સ્ટાર અને ફેન વચ્ચેનો સંબંધ માત્ર ચાહતનો નહીં, પણ ભાવનાત્મક પણ હોઈ શકે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)