સતીશ કૌશિક ના મિત્રની પત્ની નિવેદન નોંધવા પહોંચી ન હતી, હવે તપાસ કેસમાં આવ્યો વધુ એક નવો વળાંક

સતીશ કૌશિકનું 9 માર્ચે અવસાન થયું હતું. તેમના મૃત્યુના 2-3 દિવસ બાદ દિલ્હીના એક બિઝનેસમેન ની પત્નીએ એવો ખુલાસો કર્યો જેનાથી ખળભળાટ મચી ગયો. ત્યારબાદ પોલીસે મહિલાને નિવેદન નોંધવા માટે સમન્સ મોકલ્યું હતું, પરંતુ તે હાજર થઈ ન હતી. હવે પોલીસ ફરી નોટિસ આપશે.

by Zalak Parikh
satish kaushik death vikas malu wife skips summons by delh police now fresh notice issued

News Continuous Bureau | Mumbai

અભિનેતા-નિર્દેશક સતીશ કૌશિકના મૃત્યુ બાદ કેટલાક એવા ખુલાસા સામે આવ્યા, જેના કારણે પોલીસ એક્શનમાં આવી. હકીકતમાં દિલ્હીના બિઝનેસમેન વિકાસ માલુની પત્નીએ પોતાના જ પતિ પર સતીશની હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ મહિલા માલુની બીજી પત્ની છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે વિકાસ માલુની બીજી પત્નીને સોમવારે આ જ મામલે પૂછપરછ માટે નોટિસ આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે 11 વાગ્યે તેણીને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી, પરંતુ તે આવી ન હતી. હવે તેને નવી નોટિસ આપવામાં આવશે. જો કે તેમાં એક નવો વળાંક આવ્યો છે. મહિલાએ તપાસમાં સહકાર આપવાનો ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે જ્યાં સુધી તપાસ અધિકારી, જેના પર તેણે આ કેસમાં શંકાસ્પદ ભૂમિકા હોવાનો આરોપ મૂક્યો હતો, તે બદલાઈ ન જાય ત્યાં સુધી તે સહકાર આપશે નહીં. પોલીસે જણાવ્યું હતું કે કૌશિકના મૃત્યુની રાત્રે માલુના ફાર્મહાઉસ પર હાજર સ્ટાફ અને લગભગ 25 થી 30 મહેમાનોના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને હજુ સુધી કંઈપણ શંકાસ્પદ સામે આવ્યું નથી.

 

કૌશિકના મિત્રની પત્નીએ તપાસ અધિકારીને બદલવાની માંગ કરી છે

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલુની પત્નીએ કહ્યું છે કે જ્યાં સુધી તેણે આ કેસમાં શંકાસ્પદ ભૂમિકા હોવાનો આરોપ મૂકનાર અધિકારીની બદલી ન થાય ત્યાં સુધી તે તપાસમાં સહકાર આપશે નહીં. તે જ સમયે, દિલ્હી પોલીસે મહિલાને નોટિસ જારી કરીને કહ્યું હતું કે તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના તથ્યો અને સંજોગો શોધવા અને તપાસ કરવા માટે યોગ્ય આધાર છે. તેથી આપને વિનંતી છે કે 13મી માર્ચે સવારે 11.00 કલાકે તમારા ઘરે અથવા તમારી અનુકૂળતાના અન્ય કોઈ સ્થળે અન્ડર સાઈન ની સામે જાંચ માં હાજરી આપો. તે જ સમયે, મહિલાના વકીલે કહ્યું કે વિકાસ માલુની પત્ની તપાસ અધિકારીની શંકાસ્પદ ભૂમિકાને લગતી તપાસમાં સહકાર નહીં આપે. વકીલે કહ્યું- જેની દેખરેખમાં આખી તપાસ થઈ રહી છે તે ઈન્સ્પેક્ટરની ભૂમિકા પહેલાથી જ સવાલના ઘેરામાં છે. મારા અસીલ (વિકાસ માલુની પત્ની) જ્યાં સુધી ઈન્સ્પેક્ટર બદલાઈ ન જાય ત્યાં સુધી તપાસમાં જોડાશે નહીં. વકીલે કહ્યું કે તેણે આ સંબંધમાં દિલ્હી પોલીસ કમિશનરને પણ ઈમેલ મોકલીને ઈન્સ્પેક્ટરની શંકાસ્પદ ભૂમિકા વિશે જાણકારી આપી છે.

 

મહિલાએ તેના પતિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો

વકીલે કહ્યું- મહિલાએ તેના પતિ વિકાસ માલુ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો અને તે જ ઈન્સ્પેક્ટર કેસની તપાસ કરી રહ્યા હતા. પુરાવા સાથે ચેડા કરવાના આરોપસર તેમને તપાસમાંથી દૂર કરવામાં આવ્યા હતા. હવે મારા અસીલની ફરિયાદ બાદ તપાસ એ જ ઈન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે, જે આશ્ચર્યજનક છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More