Site icon

સતીશ કૌશિક પોતાની પાછળ પત્ની અને પુત્રી માટે છોડી ગયા આટલી સંપત્તિ, જાણો તેમની નેટવર્થ વિશે

રિપોર્ટ અનુસાર, સતીશ કૌશિકની પાસે 2023 સુધી લગભગ 50 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જે તેમની કળા પ્રત્યેની તેમની મહેનત અને સમર્પણ દર્શાવે છે. તેણે પોતાના અભિનય અને દિગ્દર્શન દ્વારા આટલી સંપત્તિ મેળવી છે.

satish kaushik net worth know about his family

સતીશ કૌશિક પોતાની પાછળ પત્ની અને પુત્રી માટે છોડી ગયા આટલી સંપત્તિ, જાણો તેમની નેટવર્થ વિશે

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી. અભિનેતાને બુધવારે મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું. અનુપમ ખેરે આ વાતની પુષ્ટિ કરી હતી. આ સમાચારથી સમગ્ર બોલિવૂડ આઘાતમાં છે. ભારતીય સિનેમા હંમેશા સતીશ કૌશિક ની ખોટ અનુભવશે જેમણે પોતાની બોલિવૂડ કારકિર્દીમાં ઘણા પ્રભાવશાળી પ્રદર્શન આપ્યા છે. સતીશ કૌશિકે ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘જાને ભી દો યારો’, ‘દિવાના મસ્તાના’ અને ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યા હતા. જાણો તેની નેટવર્થ વિશે…

Join Our WhatsApp Community

 

સતીશ કૌશિકની નેટવર્થ

મીડિયા રિપોર્ટ અનુસાર, સતીશ કૌશિક પાસે 2023 સુધીમાં લગભગ 50 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે. જે તેમની કળા પ્રત્યેની તેમની મહેનત અને સમર્પણ દર્શાવે છે. તેણે પોતાના અભિનય અને દિગ્દર્શન દ્વારા આટલી સંપત્તિ મેળવી છે. આ સિવાય તેણે ઘણા સફળ બિઝનેસ વેન્ચરમાં પણ રોકાણ કર્યું છે. તેણે લગભગ ત્રણ દાયકા બોલિવૂડમાં વિતાવ્યા.

 

 સતીશ કૌશિક નો પરિવાર 

સતીશ કૌશિકે વર્ષ 1985માં શશિ કૌશિક સાથે લગ્ન કર્યા હતા. તેમના પુત્ર સાનુ કૌશિક નું 1996માં મૃત્યુ થયું ત્યારે તે માત્ર બે વર્ષ નો હતો. આ પછી, વર્ષ 2012 માં, તેમની પુત્રી વંશિકા નો જન્મ સરોગેટ માતા દ્વારા થયો હતો. તેઓ 56 વર્ષની ઉંમરે ફરી પિતા બન્યા. દિવંગત સ્ટાર સતીશ કૌશિક તેમના પરિવારમાં તેમની પત્ની શશી કૌશિક અને પુત્રી વંશિકા છે.

 

સતીશ કૌશિકની કારકિર્દી

હરિયાણામાં જન્મેલા, સતીશ કૌશિક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. તે ‘જાને ભી દો યારોં’, ‘રામ-લખાન’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘દીવાના મસ્તાના’, ‘હસીના માન જાયેગી’, ‘છલાંગ’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. ‘ઉડતા પંજાબ’. ફિલ્મમાં ભજવેલા તેના પાત્રોની ઘણી પ્રશંસા થઈ હતી. કૌશિકે 1983માં આવેલી ફિલ્મ ‘જાને ભી દો યારોં’ ના સંવાદો લખ્યા હતા અને પંકજ ત્રિપાઠી અભિનીત ‘કાગઝ’ (2021) માટે વાર્તા પણ લખી હતી. કૌશિકે કોમેડિયન તરીકે પણ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. તેઓ ફિલ્મ નિર્દેશક પણ હતા. તેને ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’થી ડિરેક્શનની દુનિયામાં પગ મૂક્યો હતો. કૌશિકે ‘હમ આપકે દિલ મેં રહેતે હૈ’, ‘હમારા દિલ આપકે પાસ હૈ’, ‘બધાઈ હો બધાઈ’, ‘તેરે નામ’ અને ‘મુઝે કુછ કહેના હૈ’ જેવી ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.

 

Ramayana Teaser: ‘ટીવીની ‘સીતા’ના બદલાયા સૂર! રણબીર કપૂરની ‘રામાયણ’ જોઈ દીપિકા ચિખલિયા થઈ ફિદા, પહેલા વિરોધ અને હવે વખાણ?
R Madhavan Dhurandhar 2 Theater: થિયેટરમાં ‘અજય સાન્યાલ’ ની એન્ટ્રી! ‘ધુરંધર ૨’ જોવા માટે ભરેલા સિનેમાઘરમાં ચુપકેથી પહોંચ્યા આર. માધવન, પણ ફેન્સે કરી દીધો પર્દાફાશ
Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.
Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ
Exit mobile version