201
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ, 12 જૂન 2021
શનિવાર
તૃણમૂલ કૉન્ગ્રેસી નેતા અને અભિનેત્રી નુસરત જહાંએ પોતાનાં લગ્નને ઠુકરાવી દીધાં છે. આ માટે તેણે ટેક્નિકલ કારણ આગળ ધર્યું છે કે તેના અને તેના પતિનાં લગ્ન વિદેશમાં થયાં હતાં. આથી ભારત દેશમાં માન્ય નથી. જોકે અનેક સેલિબ્રિટી એવી છે જેમણે દેશની બહાર લગ્ન કર્યાં, પરંતુ પોતાનાં લગ્નને કદી ગેરકાયદે નથી કહ્યાં.
બૉલિવુડની સેલિબ્રિટી કપલ એટલે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઇટલીમાં લગ્ન કર્યાં.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઇટલીમાં લગ્ન કર્યાં.

પ્રિટી ઝિન્ટાનાં લગ્ન અમેરિકામાં થયાં.

રાની મુખરજી અને આદિત્ય ચોપરાનાં લગ્ન પણ ઇટલીમાં થયાં.

સુરવીન ચાવલા અને અક્ષય ઠાકરનાં લગ્ન ઇટલીમાં થયાં

આફતાબ શિવદાસાની અને નિન દુસાંજેનાં લગ્ન શ્રીલંકામાં થયાં.

આમ એવી ભરપૂર સેલિબ્રિટીઓ છે, જેમનાં લગ્ન વિદેશમાં થયાં.

You Might Be Interested In