News Continuous Bureau | Mumbai
Shahrukh khan: અમદાવાદ માં કેકેઆર ની મેચ બાદ શાહરુખ ખાન ની તબિયત બગડી હતી જેને કારણે તેને અમદાવાદ ની કેડી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, શાહરૂખ ડિહાઈડ્રેશન નો શિકાર બન્યો હતો. કેડી હોસ્પિટલ માં શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન તેની તબિયત પૂછવા હોસ્પિટલ પહોંચી હતી. આ સાથે જે શાહરુખ ખાન ની મિત્ર અને કેકેઆર ની કો ઓનર જુહી ચાવલા પણ હોસ્પિટલ પહોંચી હતી. હવે જુહી ચાવલા એ શાહરુખ ના હેલ્થ વિશે અપડેટ આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Lok Sabha Election 2024: મુંબઈમાં ફિલ્મ સ્ટાર્સે બજાવી મતદાનની ફરજ.. અક્ષય કુમારથી લઈને જ્હાન્વી કપૂર સુધી તમામ બોલિવૂડ સેલેબ્સે આપ્યો વોટ.. જુઓ વિડીયો..
કેવી છે શાહરુખ ખાન ની તબિયત
એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જુહી ચાવલા એ કહ્યું,’ મંગળવારે રાત્રે તેને સારું નહોતું લાગતું, પરંતુ તેમની સારવાર કરવામાં આવી રહી છે. હવે તે પહેલા કરતા વધુ સારું અનુભવી રહ્યો છે. ભગવાનની કૃપાથી તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તે IPLની ફાઈનલ મેચમાં સ્ટેડિયમમાંથી પોતાની ટીમને સપોર્ટ કરશે. કારણ કે અમે ફાઇનલમાં પહોંચી ગયા છીએ.’આ સાથે જુહી એ એમ પણ કહ્યું કે તેને આશા છે કે KKR 10 વર્ષ પછી ટ્રોફીને કોલકાતા પરત લાવશે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં હતો. ભારે ગરમીના કારણે તેને ડિહાઈડ્રેશન થઈ ગયું હતું. 22 મેના રોજ સવારે શાહરૂખ ખાનની તબિયત લથડી હતી. આ પછી તેને બપોરે 1 વાગ્યા ની આસપાસ અમદાવાદ ની કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શાહરૂખ ખાન હજુ પણ ડોક્ટરોની દેખરેખ હેઠળ કેડી હોસ્પિટલમાં દાખલ છે. જો કે, હાલમાં હોસ્પિટલ તરફથી મૂળભૂત રીતે કંઈ કહેવામાં આવી રહ્યું નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)