વેલેન્ટાઈન વીક પર શાહરુખ ખાન કાજોલ ની સુપરહિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે થઈ રિલીઝ

શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ રીતે શાહરૂખ ખાનના ફેન્સને વેલેન્ટાઈન વીકમાં ગિફ્ટ મળવા જઈ રહી છે.

by Zalak Parikh
shahrukh khan movie DDLJ release in theater

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘પઠાણ’થી ફેન્સનું મનોરંજન કરી રહ્યો છે. આ દરમિયાન શાહરૂખ ખાનના ચાહકો માટે વધુ એક સારા સમાચાર છે. વાસ્તવમાં, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ રીતે શાહરૂખ ખાનના ફેન્સને વેલેન્ટાઈન વીકમાં મોટી ભેટ મળી છે. ચાલો જાણીએ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ક્યારે અને કેટલા દિવસો માટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

 

એક સપ્તાહ માટે રિલીઝ થશે શાહરુખ ખાન ની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મની રિલીઝની માહિતી આપી છે. મેકર્સે જણાવ્યું છે કે આ ફિલ્મ 10 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે રિલીઝ થશે અને આગામી એક સપ્તાહ સુધી સિનેમાઘરોમાં રહેશે. જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ વર્ષ 1995 માં સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મ મુંબઈના મરાઠા મંદિરમાં છેલ્લા 28 વર્ષથી સતત બતાવવામાં આવી રહી છે.

શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ 

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ આ દિવસોમાં સિનેમાઘરોમાં છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પઠાણ’એ ભારતમાં બોક્સ ઓફિસ પર 450 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન હવે ફિલ્મ ‘જવાન’ અને ફિલ્મ ‘ડન્કી’ માં જોવા મળશે. આ વર્ષે જૂનમાં ફિલ્મ ‘જવાન’ અને ડિસેમ્બરમાં ફિલ્મ ‘ડન્કી’ રીલિઝ થવા જઈ રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More