Site icon

Jawan : આ દિવસે ધમાકેદાર ટ્વિસ્ટ સાથે રિલીઝ થશે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ નું ટ્રેલર, જાણો વિગત

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

News Continuous Bureau | Mumbai

‘પઠાણ’ બાદ શાહરૂખ ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ ‘જવાન’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને માહિતી આપી કે આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવશે. તે જ સમયે, ફિલ્મના ટ્રેલરને લગતું અપડેટ બહાર આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મનું ટ્રેલર પહેલા સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. પરંતુ, એક ટ્વિસ્ટ સાથે. આવો જાણીએ આ ટ્વિસ્ટ વિશે.

Join Our WhatsApp Community

જવાન નું ટ્રેલર

મળતી માહિતી મુજબ, ‘જવાન’ના મેકર્સ નવ દિવસ પછી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરશે. આ ટ્રેલર હોલીવુડની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ 7 સાથે 12 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. થોડા દિવસો પછી, ટ્રેલર યુટ્યુબ પર રિલીઝ થશે. ટોમ ક્રૂઝની ફિલ્મ સાથે શાહરૂખની ફિલ્મના ટ્રેલરનું જોડાણ ખૂબ જ રસપ્રદ છે કારણ કે બંને મેગાસ્ટાર્સની વિશ્વભરમાં સમાન ફેન ફોલોઈંગ છે અને તેઓ તેમના આકર્ષણ માટે જાણીતા છે.

આ સમાચાર પણ વાંચો: JIO : જિયોનું 2G મુક્ત ભારત અભિયાન: લોન્ચ કર્યો 4G ફોન માત્ર રૂ. 999માં, મળશે ઇન્ટરનેટ, કૉલ્સ, UPI સહિત આ બધું જ.. જાણો વિશેષતા..

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ જવાન

આ ફિલ્મે આ વર્ષે 7મી સપ્ટેમ્બરે તેની રિલીઝ ડેટ નક્કી કરી છે. અગાઉ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં શાહરૂખના ચહેરા પર પાટો અને લોહી દેખાતું હતું. આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થવાથી મેકર્સને ઘણો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે આ દિવસે જન્માષ્ટમી પણ છે અને રજા પણ છે, તેથી તેમને બોક્સ ઓફિસ પર ફાયદો મળી શકે છે. આ ફિલ્મનું નિર્દેશન એટલી સંભાલે કર્યું છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને નયનતારા પણ જોવા મળશે. ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં છે અને ગૌરી ખાન દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.

Dhurandhar: ‘ધુરંધર’ની સફળતાનું રહસ્ય: માત્ર ૨૨ વર્ષના આ યુવાને એડિટ કર્યા ટ્રેલર-ટીઝર, અભિનેત્રી યામી ગૌતમ સાથે છે ખાસ કનેક્શન!
Abhishek Bachchan: એક્ટિંગ ઉપરાંત કરોડોની કમાણી: અભિષેક બચ્ચનનું સ્પોર્ટ્સ અને રિયલ એસ્ટેટનું બિઝનેસ એમ્પાયર જાણીને ચોંકી જશો!
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા’ શો બંધ થવાના સમાચારો પર મેકર્સે અંતે આપી દીધું નિવેદન, જાણો શું છે હકીકત!
Dhurandhar : સંજય દત્તની ફૅન હોવા છતાં લીગલ એક્શનની તૈયારી: ‘ધુરંધર’માં ચૌધરી અસલમનું ચિત્રણ વિવાદમાં
Exit mobile version