Shahrukh Khan : શાહરુખ ખાને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ને કહી હતી ‘ના’, આ હતું કારણ

shahrukh khan rejected sanjay leela bhansali padmaavat due to this reason

News Continuous Bureau | Mumbai

Shahrukh Khan : બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરૂખ ખાન સાથે જોડાયેલા એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રણવીર સિંહ પહેલા સંજય લીલા ભણસાલીએ શાહરૂખ ખાનને ફિલ્મ ‘પદ્માવત’માં ખિલજીનો રોલ ઑફર કર્યો હતો. શાહરૂખ ખાને પણ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવવા માટે સંમતિ આપી હતી. પરંતુ, પછી કંઈક એવું બન્યું જેના કારણે શાહરૂખ ખાને ફિલ્મ કરવાની ના પાડી દીધી.

શાહરુખ ખાને ‘પદ્માવત’માં કામ કરવાની પાડી હતી ના

અહેવાલો અનુસાર, અભિનેતા પટકથા સાંભળ્યા પછી ફિલ્મમાં અભિનય કરવા માટે રાજી થઈ ગયો હતો. જો કે, તેને એક સમસ્યા હતી. શાહરૂખે સંજય લીલા ભણસાલીને શીર્ષકમાં સુધારો કરવાની ભલામણ કરી કારણ કે શાહરુખ નું માનવું હતું કે તેના ચાહકો તેને મહિલા લીડના નામની ફિલ્મમાં જોવા માંગતા નથી. પરંતુ આનાથી સંજય મુશ્કેલીમાં આવી ગયો કારણ કે દીપિકાએ તેને ચેતવણી આપી હતી કે જો ટાઇટલ બદલાશે તો તે ફિલ્મ છોડી દેશે.શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યુમાં કોઈ પાત્ર કે ફિલ્મનું નામ નહોતું આપ્યું પરંતુ ઈશારો કર્યો હતો તેણે કહ્યું હતું કે, “હું અત્યારે જે સ્થિતિમાં છું, મારે મારી સ્ક્રિપ્ટ ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કરવી પડશે. મને લાગે છે કે મારી પાસે વિલનને પણ આકર્ષક બનાવવાની ક્ષમતા છે. પરંતુ, કેટલાક લોકો એવા છે જે મને આંધળી રીતે અનુસરે છે. આવી સ્થિતિમાં, હું વિલન બની શકતો નથી અને ખોટા કામો કે ખરાબ વ્યક્તિ બતાવી શકતો નથી.તેથી મેં કેટલીક ફિલ્મો રિજેક્ટ કરી”

આ સમાચાર પણ વાંચો: Manipur : મણિપુર હિંસા પર રોષે ભરાયું આખું બોલિવૂડ, અક્ષય કુમારથી લઈને અનેક હસ્તીઓ એ વ્યક્ત કરી નારાજગી

પદ્માવત નું બોક્સ ઓફિસ કલેક્શન

પદ્માવતએ ગ્લોબલ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહને તેના શાનદાર અભિનય માટે ઘણી પ્રશંસા મળી હતી. શાહિદ કપૂરે રાજપૂત રાજા રતન સિંહની ભૂમિકા ભજવી હતી.